નવી દિલ્હી: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI) પર પ્રતિબંધનું સ્વાગત કર્યુ છે પરંતુ સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધની માંગ પણ કરી નાખી છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યુ કે RSS પર ઇમરજન્સીમાં પણ બેન મુકવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
લાલુ પ્રસાદ યાદવે કહ્યુ, PFI જેવા સંગઠનો પર પણ પ્રતિબંધ લાગે. મુસ્લિમ સંગઠનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લાલુએ કહ્યુ કે ભ્રષ્ટાચારની બોલબાલા છે. દેશમાં લોકોને હિન્દૂ-મુસ્લિમ કરીને આ દેશને તોડવા માંગે છે, તેમણે કહ્યુ કે હું પહેલા પણ કહી ચુક્યો છું કે દેશ રહેશે અથવા તૂટશે. દરેક વાતમં હિન્દૂ-મુસ્લિમ મસ્જિદો પર ચઢીને ઝંડા લગેરાવવા, ભગવો ધ્વજ ફરકાવવો આ ઘણી ખરાબ વાત છે.
લાલુ યાદવે કહ્યુ કે આ લોકો મસ્જિદની સામે હનુમાનજીના પાઠ કરી રહ્યા છે, આ શું કહેવા માંગે છે, આ બતાવે છે કે તે સાંપ્રદાયિકતા ફેલાવીને દેશમાં રમખાણ કરીને શાસનમાં બન્યા રહેવા માંગે છે. હવે તેમના દિવસો ભરાઇ ગયા છે.
લાલુ પ્રસાદ યાદવે કહ્યુ,
“RSSને બેન પહેલા પણ કરવામાં આવી ચુક્યુ છે અને એક સાથે આ રીતના જેટલા પણ સંગઠન છે તે બધા પર પ્રતિબંધ મુકો અને તપાસ કરો, કઇક મળે તો કાર્યવાહી કરો. સૌથી પહેલા RSS પર પ્રતિબંધ મુકો, આ તેના કરતા પણ ખરાબ સંગઠન છે. જે હિન્દૂત્વના કટ્ટરપંથને આગળ વધારે છે.”
તેજસ્વી સમય પર બનશે મુખ્યમંત્રી
જ્યારે લાલુ યાદવને તેજસ્વીને મુખ્યમંત્રી બનાવવાને લઇને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે બધુ સમય પર થશે, રાહ જુવો. હું ઇચ્છુ છુ કે તેજસ્વી રાજ્યના મુખ્યમંત્રી બને. જ્યારે તેમણે પૂછવામાં આવ્યુ કે શું નીતિશ કુમારે દેશને સંભાળવો જોઇએ, જેની પર લાલુ યાદવે કહ્યુ કે બધા લોકો દેશને સંભાળશે, તેમણે કહ્યુ કે બિલકુલ ભાજપને હરાવી શકાય છે. સોનિયા ગાંધી સાથે વાત થઇ છે. સોનિયાએ કહ્યુ કે સંગઠન ચૂંટણી પછી બેઠશું.
Advertisement