ગુજરાત એક્સક્લૂઝિવ: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું છે, ગૌતમ અદાણી હોય અથવા કોઈપણ અદાણી હોય. અબાણી હોય, અડાણી હોય અથવા અમિત શાહના પુત્ર જય શાહ છે, તે હોય. અમે અહીં તે બધાનું સ્વાગત કરીશું, જે ઇન્ડસ્ટ્રીના લોકો છે. અમને રોજગાર જોઇએ, ઇન્વેસ્ટમેન્ટ જોઇએ છે.
Advertisement
Advertisement
જયપુરમાં સાત અને આઠ ઓક્ટોબરે બે દિવસનું ‘ઈન્વેસ્ટ રાજસ્થાન’ કાર્યક્રમનું આયોજન થયું જેમાં પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગહેલોત સહિત અનેત દિગ્ગજ ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી પણ કાર્યક્રમમાં સામેલ થયા અને તેમને આગામી સમયમાં પ્રદેશમાં 40,000 નોકરીઓની અવસર ઉત્પન્ન કરવાની વાત કરી.
અશોક ગહેલોતે કહ્યું, અમે કોરોનાકાળમાં રોકાણકારોને સુવિધા આપી છે. તે પછી પણ અમે તેમના માટે અનેક સ્કીમો લોન્ચ કરી છે. આવનારા સમયમાં અમે પ્રદેશમાં રોજગાર વધારવા પર કામ કરી રહ્યાં છીએ.
તેમને કહ્યું, “બીજેપી આ વાતને મુદ્દો બનાવી રહી છે પરંતુ આ તેમના માટે ઉંધુ પડશે કેમ કે યુવાઓ કહેશે કે અમને સુવિધા મળી રહી છે તો તમે તેમાં અડચણ ઉત્પન્ન કેમ કરી રહ્યાં છો.”
તે ઉપરાંત અશોક ગહેલોતે શું કહ્યું?
અશોક ગહેલોતે કહ્યું, “દુનિયાના કોઈપણ ખુણામાંથી લોકો રોકાણ કરવા આવે તો તેમને સુવિધા જોઇએ. આજે અમારી કોશિશ છે કે અહીં વધારે ઉદ્યોગ પતિ આવે. અમારી કોશિશ છે કે તેમને મુશ્કેલી ના નડે. આમાં અમે મોટા ભાગે સફળ પણ થયા છીએ.”
કાર્યક્રમ દરમિયાન અશોક ગહેલોત અનેક વખત ગૌતમ અદાણીને ગૌતમ ભાઇ કહીને સંબોધિત કરી રહ્યાં હતા.
તેમને કહ્યું, આઝાદીથી પહેલાથી જ ગુજરાતના લોકો વ્યાપાર કરતા રહ્યાં છે. ત્યાં કાપડ ઉદ્યોગ જેવા અનેક ઉદ્યોગ પહેલાથી જ છે. તેથી ગુજરાત સક્ષમ રાજ્ય રહ્યું છે. આર્થિક રૂપથી ગુજરાત અને મહારાષ્ટ્ર સંપન્ન રાજ્ય છે. ધીરૂભાઇ અંબાણી કહો અથવા પછી ગૌતમ અદાણી, ગુજરાતનો પોતાનો એક અલગ જ રૂતબો રહ્યો છે.
અશોક ગહેલોતે આગળ કહ્યું, “પરંતુ રાજસ્થાન તે પ્રદેશ રહ્યું છે જે હંમેશા દૂષ્કાળની માર સહન કરતું આવ્યું છે. પલાયન અહીંની ખુબ જ મોટી સમસ્યા રહી છે અને અહીં પશુઓના પાણી-ચારાની વ્યવસ્થાથી લઈને લોકો માટે રોજગારની વ્યવસ્થા કરવી એક પડકારરૂપ રહ્યું છે. અમે અહીં રોકાણને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ.”
કાર્યક્રમમાં ગૌતમ અદાણીએ શું જાહેરાતો કરી?
ગૌતમ અદાણીએ કહ્યું કે કંપનીએ પહેલા જ અલગ-અલગ યોજનાઓમાં પ્રદેશમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
10 હજાર મેગાવોટ વિજળીનું એક ઉર્જા યોજના પર કામ ચાલી રહ્યું છે જેમાં 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ છે. આશા છે કે આ યોજના પાંચ વર્ષમાં પૂર્ણ થઇ જશે.
તે ઉપરાંત આગામી પાંચથી સાત વર્ષોમાં કંપની અહીં અન્ય 65 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે.
આ રોકાણથી પ્રદેશમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે 40,000 નવી નોકરીઓ ઉભી થશે.
પરંતુ આને લઈને બીજેપી અશોક ગહેલોત અને કોંગ્રેસને નિશાના પર લઇ રહી છે.
બીજેપીએ સોશિયલ મીડિયા પ્રભારી અમિત માલવીયાએ ગહેલોત અને ગૌતમ અદાણીની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
તેમને લખ્યું, “આ બળવાની વધુ એક તસવીર છે. ગાંધી પરિવાર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત વચ્ચે અસંતોષ વધી રહ્યો છે. અશોક ગહેલોતે ગૌતમ અદાણીને ઈન્વેસ્ટ સમિટમાં બોલાવ્યા છે. તેમને મુખ્યમંત્રીની એકદમ બાજુંમાં બેસવાની જગ્યા આપી છે. તે સતત અદાણી અને અંબાણીની વિરોધમાં નિવેદન આપી રહેલા રાહુલ ગાંધી માટે ખુલ્લો સંદેશ છે કે હવે તેઓ પાછળ હટી જાય”
બીજેપી નેતા રાજ્યવર્ધન સિંહ રાઠોરે પણ આ તસવીર ટ્વિટ કરી અને લખ્યું, “રાહુલ ગાંધી જ્યાં અદાણી જી જેવા ઉદ્યોગપતિઓને દિવસ-રાત અપશબ્દ કહે છે, દેશની આર્થિક પ્રગતિમાં બાંધા પહોંચાડવા માટે દુષ્પ્રચાર કરે છે, તો તેમના રાજસ્થાનના સેનાપતિ તેમને ગળે લગાવી રહ્યાં છે. ”
રાજસ્થાન બીજેપી અધ્યક્ષ સતીશ પૂનિયાએ 47 સેકન્ડની એક ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી જેમાં રાહુલ ગાંધી લોકસભા ડિબેટમાં અને એક જનસભામાં તે કહેતા સાંભળી શકાય છે, “હિન્દુસ્તાનમાં કંઇ પણ થતું હોય ત્યાં અદાણી-અંબાણી જોવા મળે છે.”
આ વીડિયોમાં આગળ નાણામંત્રી નિર્મલા સીતારમણ કહે છે, “રાહુલ ગાંધીએ જનસભામાં કહ્યું કે મોદી સરકાર અદાણી અને અંબાણીના પક્ષમાં કામ કરે છે પરંતુ તેના આગામી દિવસે તેમની પાર્ટીના નેતા ગહેલોત અદાણી સાથે કરાર કરી રહ્યાં છે.”
રાહુલ ગાંધીએ શું કહ્યું?
શનિવારે ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકના તુમકુરૂમાં મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીજેપી, સંઘ, સાવરકર અને અદાણી પર નિશાન સાંધ્યું.
આ દરમિયાન જ્યારે તેમને રાજસ્થાન અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમને કહ્યું, “અદાણીએ રાજસ્થાનને 60 હજાર કરોડ રૂપિયાના નિવેશનો પ્રસ્તાવ આપ્યો. કોઈપણ મુખ્યમંત્રી આવા પ્રસ્તાવને ઠૂકરાવી શકે નહીં. રાજસ્થાનના સીએમએ અદાણીને કોઈ પ્રાધાન્ય આપ્યું નથી, ના કોઈ પોતાની રાજકીય શક્તિનો ઉપયોગ તેમને (અદાણીને) તેમના બિઝનેસમાં મદદ કરવા માટે કર્યો છે. ”
રાહુલ ગાંધીએ આગળ કહ્યું, “મારો વિરોધ તે છે કે બીજેપી સરકારે ભારતના બધા બિઝનેસમાં બે-ત્રણ લોકોને એકાધિકાર આપી રાખ્યું છે. હું તેના વિરોધમાં છું. હું બિઝનેસ અથવા કોર્પોરેટના વિરૂદ્ધમાં નથી, હું પૂંજીના કેન્દ્રીયકરણના વિરૂદ્ધ છું. જો બધી જ રાજકીય શક્તિઓ ખોટી રીતે બે અથવા ત્રણ લોકોની મદદ કરવામાં લાગી જાય તો તેમાં હિન્દુસ્તાનને નુકશાન થાય છે.”
રાહુલ બોલ્યા, “જો રાજસ્થાનની સરકારે અદાણી જીને ખોટી રીતે રાજસ્થાનમાં બિઝનેસ આપ્યું તો હું તેમના વિરૂદ્ધ ઉભો થઇ જઇશ. જો યોગ્ય પ્રક્રિયા હેઠળ આપ્યું છે તો મને તેનાથી કોઈ જ સમસ્યા નથી.”
અશોક ગહેલોતનો બીજેપીનો જવાબ
અશોક ગહેલોતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક નિવેદન રજૂ કરીને કહ્યું, “કોંગ્રેસ પાર્ટી ક્યારેય ઉદ્યોગોના વિરૂદ્ધમાં રહી નથી, પરંતુ કોંગ્રેસે ઉદારીકરણ કરીને ઉદ્યોગો માટે સકારાત્મક વાતાવરણ બનાવવાનું કામ કર્યું છે.”
તેમને કહ્યું કે, બે દિવસના આ કાર્યક્મમાં લગભગ 3000થી વધારે રોકાણકારો સામેલ થયા અને આ દરમિયાન અનેક યોજનાઓના એમઓયૂ પર હસ્તાક્ષર થયા તો, અનેક પ્રોજેક્ટ તેના બીજા તબક્કા સુધી પણ પહોંચ્યા છે.
નિવેદનમાં તેમને લખ્યું કે બીજેપી અને મીડિયાનો એક વર્ગ આ કાર્યક્રમને નકારાત્મક પબ્લિસિટીમાં કરવામાં લાગ્યું છે.
તેમને લખ્યું, તમે અશોક ગહેલોતનો વિરોધ કરી શકો છો, કોંગ્રેસનો વિરોધ કરી શકો છો પરંતુ રાજસ્થાનના બધા જ યુવાઓના ભવિષ્યની તકોનો વિરોધ કેમ?
Advertisement