નવી દિલ્હી: સંઘ પ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં કહ્યુ હતુ કે ભારતમાં મુસ્લિમોએ ડરવાની જરૂર નથી. જેની પર અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો છે. ઓવૈસીએ પૂછ્યુ કે મોહન કોણ છે, જે મુસલમાનોને ભારતમાં રહેવા કે અમારા ધર્મનું પાલન કરવાની પરવાનગી આપે? અમે ભારતીય છીએ કારણ કે અલ્લાહે ઇચ્છ્યુ.
Advertisement
Advertisement
RSSના પ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં મુસલમાનોને લઇને એક નિવેદન આપ્યુ હતુ જેમાં કહ્યુ હતુ કે ‘ભારતમાં મુસ્લિમોએ ડરવાની બિલકુલ પણ જરૂર નથી, ઇસ્લામ કોઇ ભય નથી પરંતુ તેમણે પોતાની શ્રેષ્ઠતાને લઇને નિવેદન છોડી દેવા જોઇએ’
અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરતા પૂછ્યુ, “મોહન કોણ છે, જે મુસલમાનોને ભારતમાં રહેવા કે અમારા ધર્મનું પાલન કરવાની પરવાનગી આપે? અમે ભારતીય છીએ કારણ કે અલ્લાહે ઇચ્છ્યુ. તેમણે અમારી નાગરિકતા પર શરતો લગાવવાની હિમ્મત કેવી રીતે કરી? અમે ભારતમાં પોતાના વિશ્વાસને સમાયોજિત કે નાગપુરમાં કથિત બ્રહ્મચારીઓના ગ્રુપને ખુશ કરવા માટે નથી.
ઓવૈસીએ પૂછ્યુ કે પીએમ મોદી દુનિયાભરના દેશોના મુસ્લિમ નેતાઓને ગળે મળે છે પરંતુ ભારતમાં એક પણ મુસ્લિમને ગળે મળતા જોયા નથી.
ભાગવતે શું કહ્યું હતું?
સંઘ પ્રમુખે RSSના મુખપત્ર ઓર્ગેનાઇઝર અને પાંચજન્યને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં મોહન ભાગવતે કહ્યુ હતુ કે આ સરળ સત્ય છે કે હિન્દુસ્તાને હિન્દુસ્તાન જ રહેવુ જોઇએ. આજે ભારતમાં રહેતા મુસલમાનોને કોઇ ખતરો નથી. ઇસ્લામ કોઇ ભય નથી પરંતુ સાથે સાથે મુસલમાન પોતાની શ્રેષ્ઠતા સાથે નિવેદનને છોડી દે.
મુસ્લિમોને લઇને મોહન ભાગવતે કહ્યુ હતુ, “અમે એક મહાન નસ્લના છીએ, અમે એક વખત આ દેશ પર શાસન કર્યુ હતુ અને તેની પર ફરીથી શાસન કરીશુ, માત્ર અમારો રસ્તો સાચો છે બાકી બધુ ખોટુ છે. અમે અલગ છીએ, માટે અમે આવા જ રહીશુ, અમે સાથે નથી રહી શકતા, મુસ્લિમોએ આ નેરેટિવ છોડી દેવો જોઇએ. વાસ્તવમાં અહી રહેનારા તમામ લોકો- પછી હિન્દૂ હોય કે કોમ્યુનિસ્ટ- આ તર્કને છોડી દેવો જોઇએ.”
Advertisement