નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ નેતા સોનાલી ફોગાટના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા. સીએમ કેજરીવાલે સોનાલી ફોગાટ કેસની તપાસ સીબીઆઇ પાસે કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે કહ્યુ કે હરિયાણા અને ગોવામાં ભાજપની સરકાર છે. આ આખી ઘટનાની તપાસ સીબીઆઇ પાસે થવી જોઇએ.
Advertisement
Advertisement
CBI તપાસમાં જેટલુ મોડુ થશે, શક વધશે- કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે સોનાલી ફોગાટના પરિવારને ન્યાય મળવો જોઇએ, સીબીઆઇ તપાસમાં જેટલુ મોડુ થશે એટલો શક વધશે, તેમણે કહ્યુ કે કેટલીક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોટા મોટા નેતા, મોટા મોટા લોકો, મોટા મોટા બિઝનેસમેન સામેલ છે, આ બધી શંકા સીબીઆઇની તપાસમાં સ્પષ્ટ થશે.
Advertisement