હૈદરાબાદ: વિશાખાપટ્ટનમ (Vishakhapatnam) હવે આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)નું નવુ પાટનગર હશે. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી વાઇએસ જગનમોહન રેડ્ડીએ 31 જાન્યુઆરીએ કરી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ એવા આદેશ પણ આપ્યા છે કે અમરાવતી (Amravati)ને રાજ્યના પાટનગરના રૂપમાં વિકસિત નહી કરવામાં આવે.
Advertisement
Advertisement
આંધ્ર પ્રદેશ માટે નવા પાટનગરની જાહેરાત તેલંગાણા રાજ્યના અલગ થવાના 9 વર્ષ પછી કરવામાં આવી છે. વર્ષ 2014માં તેલંગાણા, આંધ્ર પ્રદેશથી અલગ થયુ હતુ અને હૈદરાબાદને તેની રાજધાની જાહેર કરવામાં આવ્યું હતું.
#WATCH | "Here I am to invite you to Visakhapatnam which will be our capital in the days to come. I will also be shifting to Visakhapatnam in the months to come": Andhra Pradesh CM YS Jagan Mohan Reddy at International Diplomatic Alliance meet in Delhi pic.twitter.com/wANqgXC1yP
— ANI (@ANI) January 31, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જગનમોહન રેડ્ડીએ તેની જાહેરાત દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કરી છે. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેટિક એલાયન્સના એક કાર્યક્રમમાં રેડ્ડીએ આ જાણકારી શેર કરી છે.
જગન મોહન રેડ્ડીએ કહ્યુ,
“હું તમને બધાને વિશાખાપટ્ટનમ આવવાનું આમંત્રણ આપુ છુ. વિશાખાપટ્ટનમ કેટલાક દિવસમાં અમારી રાજધાની થવા જઇ રહી છે. હું ખુદ પણ વિશાખાપટ્ટનમ શિફ્ટ થવા જઇ રહ્યો છું.”
જાણકારી આપતા મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ કહ્યુ,
“અમે એક ગ્લોબલ સમિટ આયોજિત કરવા જઇ રહ્યા છીએ. આ 3 અને 4 માર્ચે વિશાખાપટ્ટનમમાં આયોજિત કરવામાં આવશે. આ પ્રસંગે હું તમને બધાને વ્યક્તિગત રીતે ત્યા આવવા માટે કહી રહ્યો છું.”
હાઇકોર્ટે આપત્તિ વ્યક્ત કરી હતી
વર્ષ 2014માં તેલંગાણાના બન્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યુ હતુ કે અમરાવતી આંધ્ર પ્રદેશનું પાટનગર હશે પરંતુ વર્ષ 2020માં રાજ્યમાં ત્રણ પાટનગર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની હેઠળ વિશાખાપટ્ટનમ અને અમરાવતી સહિત કુરનૂલને પાટનગર બનાવવાની વાત કરવામાં આવી હતી.
જોકે, માર્ચ 2022માં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે ત્રણ રાજધાની બનાવવાની યોજનાને ફગાવી દીધી હતી. કોર્ટે સરકારને અમરાવતીને પાટનગરના રૂપમાં વિકસિત કરવાની વાત કરી હતી. તે બાદ નવેમ્બર 2022માં સરકારે ત્રણ પાટનગર બનાવવાના કાયદાને ફગાવી દીધો હતો અને નવા પાટનગર વિકસિત કરવા માટે વ્યાપક યોજના બનાવવાની વાત કરી હતી.
Advertisement