‘વારિસ દે પંજાબ’નો ચીફ ખાલિસ્તાન’ના સમર્થક અમૃતપાલ સિંહ છેલ્લા કેટલાંક સમયથી પંજાબમાં જ સંતાયેલો છે.
Advertisement
Advertisement
પોલીસના સૂત્રો અનુસાર તે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ સ્થિત શ્રી અકાલ તખ્ત સાહેબમાં પહોંચીને સરેન્ડર કરે એવી શક્યતાઓ જણાઈ રહી છે. આ સમાચાર આખા અમૃતસરમાં ફેલાતા જ ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.
પંજાબ પોલીસના કેટલાંક સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે અમૃતપાલ શરતી સરેન્ડર કરી શકે છે. તેના માટે તેણે પોલીસ કસ્ટડીમાં તેની સાથે થર્ડ ડીગ્રીનો ઉપયોગ ના કરવો. તેને પંજાબ બહાર ન મોકલવો. તેની ધરપકડને શરણાગતી તરીકે સ્વીકારવી. જો સૂત્રોની વાચ સાચી પડે તો કેટલાક ધાર્મિક નેતાઓ તેની શરણાગતિમાં મધ્યસ્થી કરી રહ્યા છે.
આ પહેલાં મંગળવારે રાતે પોલીસને એક શંકાસ્પદ ઇનોવા(PB10CK0527)કારના કેટલાંક ઇનપુટ મળ્યા હતા. આ કાર ફગવાડાથી હોશિયારપુર જઇ રહી હતી. તેમાં અમૃતપાલ અને પપલપ્રીત હોવાનું જાણવા મળ્યું હતું. તે પછી પંજાબ પોલીસ કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમે તેનો 37KM સુધી પીછો કર્યો હતો.જો કે યુવક ગુરુદ્વારા પાસે ઇનોવા છોડીને ફરાર થઈ ગયો.
અમૃતપાલના વકીલ ઇમાન સિંહ ખારાએ એફિડેવિટ આપવા માટે હાઈકોર્ટ પાસેથી સમય માગ્યો છે. હાઈકોર્ટે પૂછ્યું હતું કે અમૃતપાલને કસ્ટડીમાં લઇને કયા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.સરકારે IG લેવલના ઓફિસર સાથે એફિડેવિટ સબમિટ કરાવી દીધી છે.
છેલ્લા કેટલાંક દિવસથી અમૃતપાલના સીસીટીવી ફૂટેજ પણ વાઈરલ થઈ રહ્યા છે.
Advertisement