કોચ્ચિઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે કેરળની એક દિવસની મુલાકાતે હતા. તે દરમિયાન અમિત શાહે ભાજપાના ત્રિશૂર વિસ્તારમાં પક્ષના કાર્યકરો અને નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તે પછી શાહે ત્રિશૂરમાં વડક્કુમનાથન મંદિરની પણ મુલાકાત લીધી હતી. ત્રિશૂરમાં જનશક્તિ રેલીને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું કે આજે દુનિયાએ કમ્યુનિસ્ટોને નકારી કાઢ્યા છે. અમને એક તક જરૂર આપો, અમારો પક્ષ રાજ્યનો વિકાસ કરશે.
Advertisement
Advertisement
આ તકે અમિત શાહે કોંગ્રેસને નિશાને લેતાં કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે તેઓ અમારા પ્રિય નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કબર ખોદશે. હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે તમે તેમને બદનામ કરવાની જેટલી કોશિશ કરશો તેટલું જ દેશમાં કમળ ખીલશે.
ત્રિશૂરમાં રેલીને સંબોધતાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પહેલા આતંકવાદીઓ અંદર ઘૂસીને આપણાં જવાનોના માથા કાપીને લઈ જતાં હતા. પરંતુ, UPAની સરકાર ચૂપ બેસી રહેતી હતી. હવે મોદીજીના સમયમાં પુલવામા, ઉરીમાં પાકિસ્તાને હુમલો કર્યો. 10 દિવસમાં જ સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં ઘૂસી જઈને આતંકીઓનેમારવાનું કામ ભારતીય સેનાએકર્યું છે.
અમિત શાહે તેમની સરકારની સિદ્ધિઓ ગણાવતા વધુમાં કહ્યું કે 70 વર્ષમાં દેશે જેટલી પ્રગતિ કરી ન હતી તેટલી પ્રગતિ 9 વર્ષમાં મોદીજીના નેતૃત્વમાં થઈ છે. 2014માં જ્યારે મોદીજીએ કાર્યભાર સંભાળ્યો ત્યારે દેશનું અર્થતંત્ર દુનિયામાં 11મા નંબરે હતું. પરંતુ, 9 વર્ષના ટૂંકા સમયગાળામાં આપણી અર્થવ્યવસ્થા દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે, જે ખૂબ મોટી સિદ્ધિ છે. આ નવ વર્ષમાં મોદીજીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.
Advertisement