ઉગ્રવાદ સામે વર્ષોથી ચાલતા સંઘર્ષ અંતિમ તબક્કામાં પહોંચી ગયો હોવાનો દાવો કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે હવે જીત નજીક છે.
Advertisement
Advertisement
CRPF ડે પરેડમાં ભાગ લેવા માટે છત્તીસગઢના જગદલપુર ગયેલા અમિત શાહે આ વાતો કહી.
આઝાદી બાદ પ્રથમ વખત માઓવાદી પ્રભાવિત વિસ્તારમાં CRPFના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે.
આ દરમિયાન તેમણે કહ્યું કે ‘ડાબેરી ઉગ્રવાદ’ વિરુદ્ધ અભિયાનમાં CRPF જવાનોના સર્વોચ્ચ બલિદાનની મોટી ભૂમિકા છે.
તેમના કહેવા પ્રમાણે CRPFએ ‘લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ’ સામે સખત લડાઈ લડી અને પોલીસ સાથે સંકલન કરીને સફળતા હાંસલ કરી.
તેમણે માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં વિકાસના માર્ગમાં આવતી સમસ્યાઓને દૂર કરવાનો શ્રેય પણ CRPFને આપ્યો.
અમિત શાહે કહ્યું કે 2010ની સરખામણીમાં હિંસક ઘટનાઓમાં 76 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે આ ઘટનાઓને કારણે થતા મૃત્યુમાં પણ 78 ટકાનો ઘટાડો થયો છે.
તેમણે કહ્યું કે એનઆઈએ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઉગ્રવાદ માટે ફંડિંગ રોકવા માટે સખત રીતે કામ કરી રહ્યા છે.
Advertisement