નવી દિલ્હીઃ કૃષિ મંત્રાલયે હેઠળ આવતો કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ પોતાની બજેટની રકમ જ ખર્ચ શક્યો નહીં અને વિભાગ દ્વારા છેલ્લાં ત્રણવર્ષમાં રૂ 44,015.81 કરોડ પાછા મોકલી દેવાયા હતા.
Advertisement
Advertisement
લોકસભામાં રજૂ કરાયેલા સંસદીય સ્થાયી સમિતિના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી.
સમિતિને વિભાગ દ્વારા મળેલી માહિતી પ્રમાણે વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 (હંગામી) દરમિયાન ક્રમશઃ રૂ. 23,824.54 કરોડ, રૂ.429.22 કરોડ અને રૂ. 19,762.05 કરોડની રકમ પાછી મોકલવામાં આવી હતી.
રકમ શા માટે પરત મોકલવામાં આવી ?
અહેવાલમાં જણાવાયું છે કે મંત્રાલય દ્વારા પરત મોકલવામાં આવી રકમ પાછળનું મુખ્ય કારણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયોના કલ્યાણ માટે બનાવવામાં આવેલી યોજનાઓની ઓછી જરૂરિયાત પડી તે છે.
સમિતિને જણાવાયું હતું કે પૂર્વોત્તર રાજ્યો, અનુસૂચિત જાતિ પેટા-યોજનાઓ અને જનજાતીય ક્ષેત્ર પેટા-યોજનાઓ અંતર્ગત ઓછી જરૂરિયાતને કારણે રકમ પરત મોકલવામાં આવી હતી.
સમિતિએ કહ્યું કે રકમ પરત મોકલવાની પ્રથા ટાળવી જોઈએ જેથી લાભાર્થીઓને યોજનાઓને લીધે લાભ મળી શકે.
Advertisement