નવી દિલ્હી: દિલ્હીના કંઝાવલામાં એક કારમાં 10-12 કિલોમીટર સુધી યુવતીને ઘસેડવાના સમાચારે દરેકને ચોકાવી દીધા છે. આ ઘટના અંગે એક પ્રત્યક્ષદર્શીએ વિગતવાર માહિતી આપી છે. પ્રત્યક્ષદર્શી અનુસાર, ગાડીમાંથી ટાયર ફાટવા જેવો અવાજ આવતો હતો અને તેની નીચે એક લાશ હતી. પ્રત્યક્ષદર્શીએ કહ્યુ કે આ ખબર ના પડી શકી કે લાશ મહિલાની હતી કે પુરૂષની કારણ કે અંધારૂ હતુ, તેને જણાવ્યુ કે સવારે 3 વાગીને 20 મિનિટ પર દિલ્હી પોલીસને ફોન કર્યો હતો.
Advertisement
Advertisement
કેવી રીતે બની હતી ઘટના
પ્રત્યક્ષદર્શીએ કહ્યુ કે તેને સવારે 3 વાગીને 18 મિનિટ પર બલેનો કારમાં ડેડ બૉડી જોઇ હતી, તેને કહ્યુ કે તે સમયે હું ચોક પર આવ્યો હતો અને દુકાન ખોલી હતી, તે સમયે મે પોલીસને કૉલ કર્યો હતો, ત્યારે એવુ લાગ્યુ કે સામેથી કોઇ ગાડીનું ટાયર ફાટ્યુ હોય. પ્રત્યક્ષદર્શીએ કહ્યુ કે મે ગાડી તરફ નજર દોડાવી ત્યારે કઇ દેખાતુ નહતુ. મારી દુકાન સામે ગાડી આવ્યા બાદ મારૂ તેની પર ધ્યાન ગયુ અને દેખાયુ કે કારની નીચે ડેડ બૉડી લટકેલી છે. મે 112 નંબર ડાયલ કર્યો હતો.
પોલીસને ફોન કરીને જાણ કરી
પ્રત્યક્ષદર્શીએ કહ્યુ કે મે પછી પોલીસને 112 નંબર પર ફોન કરીને જણાવ્યુ કે એક ગ્રે કલરની બલેનો કારમાં ડેડ બૉડી ફસાયેલી છે. મારા ફોન કરવાની 3-4 મિનિટ પછી પીસીઆરનો મારી પાસે ફોન આવ્યો હતો, તેમણે મને ગાડીનું લોકેશન પૂછ્યુ હતુ, તેમણે પૂછ્યુ કે ગાડી ક્યા જઇ રહી છે? હું અંધારાને કારણે કારનો નંબર જોઇ શક્યો નહતો.
પ્રત્યક્ષદર્શીએ કહ્યુ કે તે બાદ 3 વાગીને 30 મિનિટ પર તે ગાડી ફરીથી આવી રહી હતી. ગાડીએ ફરી એક વખત દુકાન પાસે યૂ ટર્ન લીધો હતો અને મારી દુકાન પાસેથી પસાર થઇ હતી. મે પછી જે પીસીઆરના નંબરથી ફોન આવ્યો હતો તેની પર ફોન કર્યો. મે તેમણે કહ્યુ કે તે ગાડી મારી દુકાનની પાસેથી પસાર થઇ છે અને કંઝાવલા સાઇડ જઇ રહી છે. મે પોતાની સ્કૂટી લઇને તેનો પીછો કરવાનો શરૂ કર્યો હતો. 100 મીટર ચાલ્યા બાદ ગાડીએ યૂ ટર્ન લઇ લીધો હતો.
NCWની માંગ
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ ઘટનાની પીડિતાના શબનું પોસ્ટ મોર્ટમ કરાવવાની માંગ કરી છે. પંચે કહ્યુ કે ક્યાક પીડિતાનું યૌન શોષણ તો નથી કરવામાં આવ્યું. મૃતકની માતા દ્વારા લગાવવામાં આવેલા આરોપ જો સાચા સાબિત થાય છે તો ફરિયાદ દાખલ થવી જોઇએ. પોલીસ અનુસાર, કંઝાવલામાં 20 વર્ષીય એક યુવતીની સ્કૂટીને એક કારે ટક્કર મારી હતી અને યુવતીને સુલતાનપુરીથી કંઝાવલા સુધી 5 કિલોમીટર સુધી ઘસેડતા લઇ ગયા હતા. આ ઘટનામાં યુવતીનું મોત થયુ હતુ. પોલીસે આ ઘટનામાં પાંચ લોકોની ધરપકડ કરી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે એક નિવેદનમાં કહ્યુ કે યુવતીની માતાએ આરોપ લગાવ્યો છે કે તે વ્યક્તિ (કારમાં સવાર લોકો)એ તેમની દીકરી સાથે બળાત્કાર કર્યો છે જેને કારણે તેનો શબ નગ્ન અવસ્થામાં મળ્યો હતો. જોકે, પોલીસે આ આરોપોનું ખંડન કર્યુ છે. પંચના અધ્યક્ષ રેખા શર્માએ દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને આ મામલે નિષ્પક્ષ અને નિશ્ચિત સમયસીમામાં તપાસની માંગ કરવા કહ્યુ છે. NCWએ એમ પણ કહ્યુ કે પંચે મૃતકના મેડિકલ રિપોર્ટની સાથે આ મામલે કરવામાં આવેલી કાર્યવાહી પર એક વિસ્તૃત રિપોર્ટ પણ રજૂ કરવામાં આવે.
Advertisement