મુંબઈ: ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે મુંબઇમાં ચાલી રહેલી UNSC બેઠકમાં જણાવ્યું કે, નાણાકીય કાર્યવાહી બળ (એફએટીએફ)ના ગ્રેટ લિસ્ટમાં પાકિસ્તાનને સામેલ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકી હુમલાઓમાં ઘટાડો આવ્યો હતો. સંયુક્ત સચિવ સફી રિઝવીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યૂએનએસસી)ની આતંકવાદ વિરોધી સમિતિને આ આંતર સબંધની તપાસ કરવી જોઇએ.
Advertisement
Advertisement
તેમને કહ્યું કે પાકિસ્તાનના ગ્રે લિસ્ટથી બહાર થયા પછી આતંકવાદી ગતિવિધિઓ વધવાની આશંકાઓ પણ વધી ગઇ છે. રિઝવીએ કહ્યું કે 2014માં જમ્મુ કાશ્મીરમાં ‘હાર્ડ ટાર્ગેટ’ સરકારી કાર્યાલયો, સેન્ય અને પોલિસ શિબિરોને નિશાના બનાવીને પાંચ હુમલા, 2015માં આઠ હુમલા અને 2016માં 15 હુમલા કર્યા હતા. તેમને કહ્યું કે 2017માં આ સંખ્યા ઘટીને આઠ થઇ ગઇ અને 2018માં તેમાં વધુ ઘટાડો આવ્યો અને હુમલાની સંખ્યા ત્રણ થઇ ગઇ.
અધિકારીએ જણાવ્યું કે, 2019માં પુલવામા હુમલાના રૂપમાં એક ખુબ જ મોટો હુમલો થયો, જ્યારે 2020માં કોઈપણ હાર્ડ ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો નથી. તેમને કહ્યું કે, 2021માં હાર્ડ ટાર્ગેટ પર હુમલાઓ વધવાના શરૂ થયા અને 2022માં પણ આ સિલસિલો ચાલું રહ્યો. તેમને કહ્યું કે, આમાં 2018થી 2021 સુધી ઘટાડો કેમ આવ્યો? એક કારણ પાકિસ્તાનનું ગ્રે લિસ્ટમાં સામેલ થવાનું હતું. અધિકારીએ કહ્યું કે, વિસ્તૃતિ ગુપ્ત જાણકારી સાથે આતંકવાદી-રોધી અભિયાન, બાલાકોટ એર સ્ટ્રાઇક પછી સંપૂર્ણ આતંકવાદી માળખા વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું અને અનુચ્છેદ 370ને ખત્મ કર્યા પછી અલગાવવાદની પ્રવૃતિ ઓછી થઇ ગઇ.
Advertisement