નવી દિલ્હી: અદાણી-હિંડનબર્ગ કેસને કારણે રોકાણકારોને થયેલા નુકસાન પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે એક જજ સહિત જાણકારોની એક પેનલની રચના કરવાનું સૂચન કર્યુ છે. કોર્ટે અમેરિકન-શૉર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચ વિરૂદ્ધ દાખલ બે જનહિત અરજીઓ પર સુનાવણી દરમિયાન આ સૂચન કર્યુ હતુ. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપને 120 અબજ ડૉલર (9.40 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થઇ ગયુ છે.
Advertisement
Advertisement
CJIની અધ્યક્ષતા ધરાવતી પીઠે શું કહ્યું?
અરજી પર સુનાવણી કરતા ભારતના મુખ્ય જજ (CJI) ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા ધરાવતી પીઠે કહ્યુ કે કોર્ટ સરકારના નીતિગત કેસમાં પડવા માંગતી નથી. પીઠે કહ્યુ, “શું આપણે દરમિયાનગીરી કરવી જોઈએ અને એક નિયમનકારી મિકેનિઝમ બનાવવું જોઈએ જેથી આ ફરીથી ન થાય? જો સરકાર ઈચ્છે તો, આ બાબતની સંપૂર્ણ તપાસ કરવા માટે ન્યાયાધીશ સહિત નિષ્ણાતોની એક સમિતિ રચવાનું સૂચન કરવામાં આવે છે.”
13 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી
બેંચે સુનાવણી સોમવાર 13 ફેબ્રુઆરીએ ટાળતા કહ્યુ કે સૉલિસિટર જનરલ નાણા મંત્રાલય અને સેબી સાથે વાત કરીને આ મામલે સૂચન આપે. કોર્ટે એમ પણ કહ્યુ કે તે પોતાની તરફથી એક જાણકાર સમિતિની રચના કરવા માંગે છે. જેમાં શેર બજાર અને નાણાકીય ઘટનાના જાણકાર હશે. સાથે એક પૂર્વ જજ પણ હશે.
Advertisement