નવી દિલ્હીઃ 14 વર્ષ અગાઉના નોકરીના બદલામાં જમીનના કેસમાં ED સતત લાલૂ યાદવના પરિવાર પર દરોડા પાડી રહી છે. આ મામલે કોંગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે પછી શિવસેના સાંસદ સંજય રાઉતે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
Advertisement
Advertisement
કિરીટ સોમૈયાને વિક્રાંત કૌભાંડમાં ક્લિન ચિટ અપાઈ
મુંબઈમાં મીડિયા સાથે વાતચીત કરતા સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ કાર્યવાહી ફક્ત બદલો લેવાની ભાવના સાથે થઈ રહી છે. કિરીટ સોમૈયાએ જે વિક્રાંત કૌભાંડ આચર્યું હતું તેમાં તો તેમને ક્લિન ચિટ મળી ગઈ. તેમની તપાસ બંધ કરી દેવામાં આવી. ED ફક્ત BJPના વિરોધી પક્ષો પર કાર્યવાહી કરવા જઈ રહી છે.
વધુમાં તેમણે કહ્યું કે વિપક્ષે PMને જે પત્ર લખ્યો છે તેમાં મહારાષ્ટ્રથી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે છે. તેમાં તેજસ્વી યાદવની પણ સહી છે અને હવે આ કાર્યવાહી થઈ રહી છે. બે દિવસથી લાલૂ યાદવ અને તેમના પરિવારને ત્યાં રેડ ચાલી રહી છે. સરકાર કટોકટી નહીં પણ સરમુખત્યારશાહીથી આગળ વધીને આ વધું કરી રહી છે.
શું છે નોકરીના બદલામાં જમીન કૌભાંડનો કેસ
સીબીઆઈનું કહેવું છે કે લાલૂ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે આ કથિત નોકરીના બદલામાં જમીન કૌભાંડ થયું હતું. તેમના પર આરોપ છે કે રેલ મંત્રી તરીકે તેમણે ખાનગી રીતે 12 લોકોને ગ્રૂપ ડીની નોકરી આપી હતી. તેમના પરિવારજનોએ પટણામાં જમીનનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સીબીઆઈનો દાવો છે કે પ્લોટ લાલૂ યાદવના પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને હેમા યાદવના નામે નોંધાયેલા હતા અને જમીનની નજીવી કિંમત રોકડમાં ચૂકવવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ અરજી કર્યાના માત્ર ત્રણ દિવસમાં જ નોકરી આપી દેવામાં આવી હતી.
Advertisement