નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે દિલ્હીમાં ગાઝીપુર લેન્ડફિલ સાઇટની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. સીએમ કેજરીવાલના પ્રસ્થાન પહેલા દિલ્હી ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા અને વિરોધ કરવા લાગ્યા આ દરમિયાન ભાજપના કાર્યકરો “કેજરીવાલ ગો બેક”, “કેજરીવાલ હાય-હાય” ના નારા લગાવી રહ્યા છે. અસલમાં દિલ્હીમાં MCDની ચૂંટણીને લઈને દિલ્હીનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ અને AAP એકબીજા પર હુમલો કરી રહ્યાં છે.
Advertisement
Advertisement
ગાઝીપુરમાં દિલ્હી બીજેપી કાર્યકર્તાઓ દિલ્હી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. જે બાદ તરત જ AAP કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. ભાજપ અને AAPના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસકર્મીઓ સ્થળ પર હાજર છે.
સીએમએ ટ્વીટ કર્યું
અસલમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે સવારે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી કે “મેં તેમના એક નેતાને પૂછ્યું – તમે 15 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું કામ કર્યું? શરમાતા તેણે બે વસ્તુઓ કહી –
1. ત્રણ મોટા કચરાના પર્વતો બનાવ્યા
2. આખી દિલ્હીને કચરો-કચરો કરી દીધ
કાલે સવારે હું ગાઝીપુર કચરાના પહાડ જોવા જઈશ. તમે પણ આવજો.
કચરાનો પહાડ બની ગયો છે
તમને જણાવી દઈએ કે ગાઝીપુર લેન્ડફિલ સાઈટ હાલમાં કચરાના પહાડ જેવી દેખાઈ રહી છે. આ કચરાની સમસ્યા ઉકેલવા માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી હતી, પરંતુ તેમાંથી એક પણ અસરકારક રીતે કામ કરી શકી નથી. આ યોજનામાં તાજા કચરાનો નિકાલ કરવા માટે અહીં છ મહિનાથી બંધ પડેલો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જૂનમાં ફરી શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આનાથી પણ બહુ ફરક પડ્યો નથી અને લેન્ડફિલ સાઈટ યથાવત છે. આ લેન્ડફીલ સાઈટ નજીકમાં રહેતા લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહી છે અને લોકોને બીમારીઓની દાવત આપી રહી છે.
Advertisement