ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી જોર લગાવી રહી છે. ગુજરાતમાં પણ પંજાબની જેમ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા માટે લોકો પાસેથી મંતવ્ય માંગ્યા છે. અરવિંદ કેજરીવાલે આ માટે એક નંબર પણ જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરી હતી.
Advertisement
Advertisement
કેજરીવાલે શું કહ્યું?
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ગુજરાતમાં 27 વર્ષ ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યુ અને આ 27 વર્ષ પછી તેમણે એક પણ કામ ગણાવવા માટે નથી. ભાજપનું કેમ્પેઇન આમ આદમી પાર્ટીને ગાળો બોલવામાં કેન્દ્રિત છે. જનતા મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત છે.
પહેલા વિજય રૂપાણી હતા અને તેમણે બદલીને ભૂપેન્દ્ર પટેલને બનાવ્યા. આ લોકો તેમ માને છે કે વિજય રૂપાણી ભ્રષ્ટ હતા. એક વર્ષ પહેલા તેમણે હટાવી દેવામાં આવ્યા હતા.
દિલ્હીમાં બેઠીને આ લોકો મુખ્યમંત્રી બદલી રહ્યા છે. જનતા નક્કી કરે છે કે મુખ્યમંત્રી કોણ બનશે. આમ આદમી પાર્ટી જનતાને પૂછીને નક્કી કરે છે કે તમે કોણે મુખ્યમંત્રી બનાવવા માંગો છો. પંજાબની ચૂંટણીમાં અમે જનતાને પૂછ્યુ હતુ કે મુખ્યમંત્રી કોણ બનશે? જનતાએ ભગવંત માનને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા.
કેજરીવાલે વધુમાં કહ્યુ કે, આજે અમે ગુજરાતની જનતાને પૂછવા માંગીએ છીએ કે ગુજરાતનો મુખ્યમંત્રી કોણ હોવો જોઇએ? જનતાના વિચાર જાણવા માટે એક નંબર જાહેર કરી રહ્યા છીએ. 6357000360 જાહેર કર્યો છે. આ નંબર પર એસએમએસ કરી શકો છો, વૉટ્સએપ મેસેજ કરી શકો છો અને વોઇસ મેસેજ મોકલી શકો છો. એક ઇમેલ પણ જાહેર કરવામાં આવ્યો છે [email protected] તમે તમારી ચોઇસ મોકલી શકો છો. 3 તારીખે સાંજે 5 વાગ્યા સુધી તમે આ નંબર પર અથવા ઇમેલ કરીને મુખ્યમંત્રીનું નામ જણાવી શકો છો. 4 તારીખે જે પણ પરિણામ આવશે તે ગુજરાતની જનતા સામે મુકવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તમામ તૈયારી પૂર્ણ, ચૂંટણી પંચ ટુંક સમયમાં કરી શકે છે જાહેરાત
ઇસુદાન ગઢવી સૌથી આગળ
ભાજપના ગઢમાં ગાબડુ પાડવા માટે આમ આદમી પાર્ટી પંજાબનો સફળ પ્રયોગ ગુજરાતમાં કરશે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે તેની જાહેરાત કરી હતી. ગુજરાતમાં પાર્ટી પાસે જે ચહેરો છે તેમાં પ્રથમ નામ ઇસુદાન ગઢવી અને બીજુ નામ ગોપાલ ઇટાલિયાનું છે. ઇટાલિયા પાસે ગુજરાત પ્રદેશની કમાન છે. ત્રીજુ નામ ઇન્દ્રનિલ રાજ્યગુરૂનું છે. તે પહેલા કોંગ્રેસમાં હતા. ઇસુદાન ગઢવી ગુજરાતના જાણીતા પત્રકાર છે અને ટીવી એન્કર રહી ચુક્યા છે. ઇસુદાન ગઢવી રાજ્યમાં પરિવર્તન યાત્રા કાઢી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા સંગઠનના વિસ્તાર સાથે પાર્ટીના ઉમેદવાર નક્કી કરવામાં લાગેલા છે.
Advertisement