ગાંધીનગર: દેશમાં બલી ચઢાવવાનો અન્ય એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવી રહ્યો છે. આ પહેલા કેરલમાં ધન પ્રાપ્તિ માટે બે મહિલાઓની બલી આપવાની ઘટના સામે આવી હતી. હવે ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધાવા ગીર ગામમાં અંધશ્રધ્ધાના કારણે નાની બાળકીની બલી ચઢાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પિતાએ પોતાની 14 વર્ષની દીકરીની બલી ચઢાવી હોવાની શંકા સેવાઇ રહી છે.
Advertisement
Advertisement
દીકરીની બલી ચઢાવીને તેને ફરીથી તંત્ર-મંત્ર થકી વિદ્યાથીનીને જીવિત કરવાની કોશિશ કરવામાં આવી હતી. કેહવાઇ રહ્યું છે કે, આ માસૂમનું નવરાત્રીમાં જ રાતના સમયે અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવતા આખ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બાતમીદારે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પિતાએ પોતાની માસૂમ દીકરીની બલી ચઢાવી હત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર બલી ચઢાવ્યા પછી બાળકીને તંત્ર-મંત્ર દ્વારા જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દીકરી જીવિત થઇ ન હતી. જેથી તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો.
પોલીસને માહિતી મળી હતી કે, વાડી વિસ્તારમાં ભાવેશભાઇ અકબરી રહે છે જે પહેલા સુરત રહેતા હતા. આ વ્યક્તિ છેલ્લા છ મહિના પહેલા જ વતનમાં રહેવા આવ્યા હતા. તેમની દીકરી ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. તેની બલી પિતાએ આઠમના નોરતે જ ચઢાવી દીધી હોવાની આશંકા સેવાઇ રહી છે.
આ મામલામાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તપાસ કરી રહ્યો છે. બાતમી મળતાં પોલીસે ભાવેશભાઈ અકબરીની ખેતરમાં તપાસ કરી. જેમાં શેરડીની વાડમાંથી બે બાચકા અને એક રાખ ભરેલી કોથળી મળી આવી હતી અને બાચકાની અંદર કપડા અને રાખ પણ જોવા મળી હતી. જોકે, હજુ સુધીમાં અમુક શંકાસ્પદ વસ્તુઓ સિવાય પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જે મેળવવા વાડીમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
ચર્ચાતી વિગતો પ્રમાણે, આ દીકરીની આઠમા નોરતે બલી ચઢાવ્યા બાદ તેના મૃતદેહને ચાર દિવસ સુધી એક ગોદડામાં વિંટાળીને રાખવામાં આવ્યો હતો. જે બાદ જૂજ પરિવારજનોની હાજરીમાં અંતિમક્રિયા કરી દેવામાં આવી હતી. પોલીસ તેના માતાપિતાને પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં પેપર લીકકાંડ યથાવત; BBA-B.Comની પરીક્ષાના પેપર થયા લીક
જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યુ હતું કે, ‘આ અંગે ફરિયાદ નથી થઇ પરંતુ બાતમી મળી છે. જેથી બે દિવસથી પોલીસની ટીમ તલાલામાં છે. જેમા જાણવા મળ્યું છે કે, એક બાળકીની બલી ચઢાવવામાં આવી છે. જોકે, આ એકદમ પ્રાથમિક વિગત છે. હજી આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.
હાલ 14 વર્ષીય માસુમ બાળકીના મૃત્યુની ઘટનામાં તેના માતા-પિતા શંકાના દાયરામાં છે. કેમ કે, પોલીસ પૂછપરછમાં બાળકીના પિતા અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. જે સ્થળે ઘટના બની હોવાની આંશકા વ્યક્ત થઈ છે ત્યાંથી પોલીસને મળેલા પુરાવાઓ FSLમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવી શકશે. હાલ આ મામલે માતા-પિતા સહિત ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Advertisement