વડોદરા: વડોદરામાં સરકારી જમીન પર બાંધવામાં આવેલા 100 કરોડના વ્હાઇટ હાઉસ બંગલાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસ પર બુલડોઝર ફેરવીને તોડવામાં આવ્યુ છે. સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ મામલે એક્શન લેવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
વડોદરાના વાઘોડિયા રોડ પર સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા વ્હાઇટ હાઉસના નામે ઓળખાતા લક્ષ્મી નિવાસ બંગલાને તોડવામાં આવ્યું છે. ભૂ માફીયાઓએ બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી વ્હાઉટ હાઉસને ઉભુ કર્યુ હતુ. વડોદરામાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા ડુપ્લેક્ષને પણ તોડવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસની બાજુમાં જ આવેલા કાનમ બંગલોઝને પણ તોડવામાં આવ્યું છે. ટેરેસ પરથી દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિદ્યુત કંપની MGVCL દ્વારા લાઇટનું કનેક્શન પણ કાપવામાં આવ્યું હતું. આ દરમિયાન દબાણ શાખાના કર્મચારી અને પોલીસ હાજર રહી હતી.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરાઇ હતી
વડોદરામાં 100 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરતફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજોના આધારે વ્હાઇટ હાઉસ અને અનેક ડુપ્લેક્સો ઉભા કરવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી ટીડીઓ સોહમ પટેલ, જૂનિયર ક્લાર્ક નિર્મલ કંથારીયા અને ડ્રાફ્ટમેન શનાભાઇ તડવીની ધરપકડ કરી હતી. મહત્વપૂર્ણ છે કે આ મામલે અનેક અરજીઓ મળતા પાલિકામાંથી અસલ એફ ફોર્મ મંગાવી તપાસ કરવામાં આવતા બોગસ લખ્યુ હતુ જેથી તે વેળાએ જ નાયબ કલેક્ટરને પ્રોપર્ટીકાર્ડ રદ કરવા માટે સુચના આપવામાં આવી હતી.
વડોદરામાં નડતર રૂપ દબાણ દૂર કરાયા
વડોદરા શહેરમાં પાલિકાની દબાણ શાખાની ટીમે નડતરરૂપ દબાણો દૂર કરવાની સાથે લારી-ગલ્લા જપ્ત કર્યા હતા. શહેરના હરણી એરપોર્ટ, માણેકબાગ સર્કલ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. જ્યાં ફૂટપાથ પરના નડતરરૂપ દબાણો દુર કરી બે ફ્લેક્સ બોર્ડ, શેરડીનું કોલુ, કાઉન્ટર, લોખંડના બે ટેબલ કબજે કર્યા હતા. જ્યારે સાંઇદીપ સોસાયટી અને જગદીશ ફરસાણ પાસેથી પણ નડતરરૂપ લારી-ગલ્લાના દબાણોનો સફાયો કર્યો હતો.
વેરા વસૂલાત માટે પણ પાલિકાની કાર્યવાહી
પાલિકા દ્વારા મિલકત વેરાની બાકી વસુલાત અસરકારક થાય તેમજ કરદાતાઓને બાકી રકમના વ્યાજ પર રાહત મળે તે હેતુથી પાછલા બાકીના વ્યાજમાં વ્યાજ માફીની સ્કિમ હાલ અમલમાં છે, તેમ છતાં અનેક લોકોએ મિલકત વેરો નહીં ભરતાં પાલિકાએ અત્યાર સુધીમાં કુલ 3,300 કોમર્શિયલ પ્રોપર્ટીને સીલ કરી છે. 20 હજાર રહેણાંક મકાનોના માલિકો, ભાડૂઆત તથા કબજેદારોને નોટિસ આપી છે.
Advertisement