ઈન્ડોનેશિયામાં આયોજિત G20 સમિટના પ્રથમ સત્રમાં ખાદ્ય-ઊર્જા સુરક્ષા પર વિચાર-મંથન થયું હતું. કોન્ફરન્સને સંબોધતા પીએ મોદીએ ખાદ્ય સુરક્ષા પર પરસ્પર સમજૂતી કરવાની અપીલ કરી હતી. આ સાથે કહ્યું કે યુક્રેનમાં યુદ્ધવિરામનો રસ્તો શોધવો પડશે.
Advertisement
Advertisement
G-20 સમિટ: G20 ના પ્રથમ સત્રમાં ખાદ્ય-ઊર્જા સુરક્ષા પર વિચાર-મંથન
ઈન્ડોનેશિયામાં આયોજિત G-20 સમિટના પ્રથમ સત્રમાં ખાદ્ય-ઊર્જા સુરક્ષા પર ચર્ચા થઈ હતી. આ સત્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજની ખાતરની અછત આવતીકાલની ખાદ્ય કટોકટી છે, જેના માટે વિશ્વ પાસે કોઈ ઉકેલ નથી. ખાતર અને ખાદ્ય અનાજ બંનેની સપ્લાય ચેઇન સ્થિર અને ખાતરીપૂર્વક રાખવા માટે આપણે પરસ્પર સમજૂતી કરવી જોઈએ.
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને પીએમ મોદીએ કહ્યું કે, મેં હંમેશા કહ્યું છે કે આપણે યુક્રેનમાં યુદ્ધવિરામ અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનો માર્ગ શોધવો પડશે. છેલ્લી સદીમાં WWIIએ વિશ્વમાં તબાહી મચાવી હતી, જે પછી તે સમયના નેતાઓએ શાંતિનો માર્ગ અપનાવવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. હવે આપણો વારો છે.
PM @narendramodi attends the #G20Indonesia Working Session on food & energy security.
In his intervention, underlined the criticality of resilient supply chains for food, fertilisers & energy, and the need for affordable finance for smooth energy transition for the Global South. pic.twitter.com/ZZ4XVoOG8b
— Arindam Bagchi (@MEAIndia) November 15, 2022
G-20 સમિટ: PM મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે અનૌપચારિક મુલાકાત
જી-20 સમિટ ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજિત થઈ રહી છે. વડાપ્રધાન મોદી પણ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં બંને નેતાઓ હાથ મિલાવતા જોવા મળે છે.
Advertisement