નવી દિલ્હી: દિલ્હીમાં પાછલા એક-બે દિવસમાં હવાની સ્થિતિમાં થોડો સુધારો થયો છે પરંતુ હજુ પણ અહીંની હવાની ગુણવત્તા નબળી છે. દિલ્હીના પ્રદૂષણને ઘટાડવા માટે અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જોકે, નિષ્ણાતો અનુસાર તે પૂરતા નથી. તેથી પ્રદૂષણ એક દિવસ દિલ્હીમાં મોતોનો તાંડવ ઉભો કરી શકે છે. હવામાં ફેલાઇ રહેલા ભયંકર પ્રદૂષણને હળવાશથી લેવો જોઇએ નહીં. કેમ કે લંડનમાં એક સમય એવો આવ્યો હતો કે પ્રદૂષણના કારણે લોકો ટપોટપ મરવા લાગ્યા હતા.
Advertisement
Advertisement
હવામાં ઓગળેલા ઝેરી પદાર્થોને હળવાશથી ન લેવો જોઇએ. ત્યારે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી જ્યારે લંડનમાં ઘણા દિવસો સુધી અંધારું થઇ ગયું હતું. લોકોની આંખો બળવા લાગી હતી. ફેફસાંમાં એવી બળતરા થતી હતી કે બચવું મુશ્કેલ બની ગયું હતું. હોસ્પિટલો બીમાર લોકોથી ઉભરાઇ ગઈ હતી.
લંડનના આ ગ્રેટ સ્મોગથી હજારો લોકો મૃત્યુ પામ્યા. બરાબર 70 વર્ષ પહેલાં એ દિવસે લંડનમાં અચાનક અંધારું થઈ ગયું. દિવસ રાતમાં ફેરવાઈ ગયો. સૂર્યપ્રકાશ દેખાતો બંધ થયો. હવા એટલી કાળી અને ગૂંગળામણભરી બની ગઈ કે લોકો શ્વાસ રૂંધાવાથી મરવા લાગ્યા. આજે પણ એ ઘટના માત્ર ઈંગ્લેન્ડ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ડરાવે છે. તેને “ગ્રેટ સ્મોગ ઓફ લંડન” કહેવામાં આવે છે. લંડનની ગલીઓમાં બધે જ અંધારું છવાઇ ગયું હતું.
લોકો હોસ્પિટલ તરફ દોડી રહ્યા હતા. આંખોની સામે જ ચાર દિવસમાં 4000 લોકો મૃત્યુ પામ્યા. આ પ્રદૂષણના કારણે કુલ 12000 લોકોના મોત થયા હતા. આ ભયાનક અંધકારે બ્રિટિશ રાજધાની લંડનને ડિસેમ્બર 1952ની શરૂઆતમાં ઘેરી લીધું હતું. લંડનમાં વાયુ પ્રદૂષણની શરૂઆત 13મી સદીમાં થઈ હતી. લંડનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ બધી વસ્તુઓ હવામાં દરરોજ એક હજાર ટન ધુમાડાના કણો, 140 ટન હાઇડ્રોલિક એસિડ, 14 ટન ફ્લોરિન કમ્પાઉન્ડસ, 370 ટન સલ્ફર ડાયોક્સાઇડ હવામાં ઓગળતી હતી. જેણે સલ્ફ્યુરિક એસિડના રૂપમાં 800 ટન ભેજનું ઉત્પાદન કર્યું હતું.
હવા એટલી કાળી થઇ ગઇ હતી કે, જાણે તમને દેખાવાનું બંધ થઇ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જે લંડનના લોકો માટે પડ્યા ઉપર પાટૂ સમાન હતું.
વર્તમાનમાં ભારતમાં દિલ્હી સહિત અનેક મોટા શહેરોની સ્થિતિ પણ કંઇક એવી જ છે. પ્રદૂષણને ઘટાડવા માટે પૂરતા પ્રમાણમાં પગલા ભરવામાં આવી રહ્યાં નથી. આગામી ટૂંક જ સમયમાં પ્રદૂષણ ભારતના મોટા શહેરોના લોકોનો સૌથી મોટો દૂશ્મન બનીને સામે આવશે. તે વખતે સરકારો લાચાર હશે. તેથી પ્રશાસન અને સરકારોને પ્રદૂષણની સમસ્યાને નજર અંદાજ કરવાની જગ્યાએ તે બાબતે હાલથી જ જાગૃત થવાની જરૂરત છે.
Advertisement