ડોક્ટરો સાથે વધતી મારપીટની ઘટનાઓને રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજસ્થાન સરકાર અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI)ને નોટિસ પાઠવી છે.
Advertisement
Advertisement
ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ બેલા ત્રિવેદીની ડિવિઝન બેન્ચે દિલ્હી ડૉક્ટર્સ ફોરમ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (દ્વારકા) અને સુનિત કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ નિર્દેશ આપ્યો છે.
અરજીમાં થોડા મહિના પહેલા રાજસ્થાનના દૌસામાં મહિલા ગાયનેકોલોજિસ્ટ અર્ચના શર્માની કથિત આત્મહત્યાના કેસની સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસેથી આ મામલે હસ્તક્ષેપ કરવા અને ડોક્ટરોની સુરક્ષા નક્કી કરવા માટે માર્ગદર્શિકા બનાવવા માટે આદેશની પણ માંગ કરવામાં આવી છે.
દૌસામાં પ્રસૂતિ દરમિયાન ભારે રક્તસ્ત્રાવને કારણે મહિલા દર્દીનું મૃત્યુ થયા બાદ ટોળા દ્વારા ડૉક્ટર અર્ચના શર્માને કથિત રીતે હેરાન કરવામાં આવી હતી. તેનાથી પરેશાન થઈને ડોક્ટરે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.
આ કેસમાં અરજદારોમાંથી એક સુનીત કુમાર ઉપાધ્યાય તેના પતિ છે.
Advertisement