જમ્મુ-કાશ્મીર: જમ્મુ પ્રશાસને મંગળવારે એક આદેશ જારી કરીને તાલુકા વિકાસ અધિકારી અને મહેસૂલ અધિકારીઓને જમ્મુમાં “એક વર્ષથી વધુ સમયથી રહેતા લોકોને” રહેઠાણ પ્રમાણપત્ર જારી કરવાનો અધિકાર આપ્યો છે.
Advertisement
Advertisement
જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી જારી દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય તે માટે લેવામાં આવ્યો છે, જેથી કોઈપણ યોગ્ય મતદાતા રજિસ્ટ્રેશનથી વંચિત રહી ના જાય. આ નિર્ણય મતાદાતાઓની યાદીને રિવાઇઝ કરવાની પ્રક્રિયાનો એક ભાગ છે.
The Government is going ahead with its plan to add 25 lakh non-local voters in J&K and we continue to oppose this move. BJP is scared of the elections & knows it will lose badly. People of J&K must defeat these conspiracies at the ballot box. pic.twitter.com/U6fjnUpRct
— JKNC (@JKNC_) October 11, 2022
આ નિર્ણય હેઠળ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કર્યું, “ભારતીય ચૂંટણી પંચના હાલના આદેશ જેમાં નવા વોટરોને રજિસ્ટ્રેશન કરવાની વાત કરવામાં આવી છે, તે ભારત સરકારના તે પ્રોજેક્ટની શરૂઆત છે જે હેઠળ જમ્મુના બહારના લોકોને વસાવવાના છે. આનું પ્રથમ નુકશાન ડોગરા સંસ્કૃતિ, તેમની ઓળખ, રોજગાર અને વ્યાપારને થશે.”
નેશનલ કોન્ફ્રન્સ પાર્ટીએ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, “સરકાર પોતાની યોજના હેઠળ 25 લાખ ગેર-સ્થાનિક વોટરોને જમ્મુ-કાશ્મીરમાં વસાવી રહી છે. અમે તેનો વિરોધ કરવાનું ચાલું રાખીશું. બીજેપી ચૂંટણીથી ડરેલી છે અને તેને ખ્યાલ છે કે તે ખુબ જ ખરાબ રીતે હારશે. જમ્મુ-કાશ્મીરના લોકો બેલેટ બોક્સના આ ષડયંત્રને હરાવીને રહેશે.”
ECI’s latest order for registration of new voters makes it clear that GOIs colonial settler project has been initiated in Jammu. They will bear the first blow to Dogra culture, identity, employment & business. pic.twitter.com/ZX9dOSEWx1
— Mehbooba Mufti (@MehboobaMufti) October 12, 2022
ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પહેલી વાર અહીં મતદાર યાદીમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.
Advertisement