નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયુ છે. મુલાયમ સિંહ યાદવે ગુરૂગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તે સ્વાસ્થ્ય સબંધી સમસ્યાથી પરેશાન હતા, તેમણે આ મહિને આઇસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
મુલાયમ સિંહ યાદવ પોતાના રાજકીય જીવનમાં 7 વખત સાંસદ રહ્યા, માત્ર 15 વર્ષની ઉંમરમાં તેમણે આંદોલન દ્વારા રાજકારણમાં એન્ટ્રી લીધી હતી.
અખાડામાં જાણીતો હતો મુલાયમનો ચરખા દાંવ
મુલાયમ સિંહને પહેલવાનીમાં બાળપણથી જ રસ હતો, તેમના પિતા સુધર સિંહ ઇચ્છતા હતા કે તમામ બાળક ખેતી કરે અને સાથે સાથે પોતાના શરીરનું પણ ધ્યાન રાખે. શરીર સાથે તેમનો સીધો અર્થ પહેલવાની તરફ હતો. સ્કૂલ પછી કોલેજનો અભ્યાસ ચાલતો રહ્યો પરંતુ મુલાયમ સિંહ યાદવે પહેલવાની છોડી નહતી. તે સતત પ્રેક્ટિસ કરતા રહ્યા અને કેટલીક સ્પર્ધામાં ભાગ લીધો હતો.
કહેવામાં આવે છે કે તે પોતાની ઉંમરના પહેલવાનોમાં ચેમ્પિયન બની ગયા હતા. અખિલેશ યાદવની બાયોગ્રાફી “વિંડ્સ ઓફ ચેન્જ”માં સીનિયર પત્રકાર સુનીતા એરોન મુલાયમના કાકાના ભાઇ રામ ગોપાલ યાદવના હવાલાથી લખે છે કે સ્કૂલ-કોલેજના સમયે મુલાયમ સિંહ યાદવ ‘ચરખા દાંવ’ માટે ઘણા ચર્ચિત હતા. કદમાં નેતાજી નાના હતા પરંતુ ચરખા દાંવનો ડર મોટા મોટા પહેલવાનોમાં હતો. ચરખા દાંવનો પ્રયોગ કરીને તેમણે મોટા મોટા પહેલવાનોને હરાવ્યા છે.
કુશ્તીએ બદલ્યુ મુલાયમ સિંહ યાદવનું જીવન
1965માં મુલાયમ સિંહ યાદવે ઇટાવામાં એક કુશ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કુશ્તી સ્પર્ધાએ મુલાયમ સિંહનું જીવન હંમેશા માટે બદલી નાખ્યુ હતુ. કુશ્તીમાં ચીફ ગેસ્ટ તરીકે જસવંતનગરના ધારાસભ્ય નત્થૂ સિંહ યાદવ સામેલ થયા હતા. મુલાયમ સિંહ યાદવે કુશ્તીમાં પોતાના બે ઘણા પહેલવાનને પટક્યો હતો અને તેનાથી નત્થૂ યાદવ પ્રભાવિત થયા હતા. નત્થૂ સિંહ યાદવને મુલાયમ સિંહના રાજકીય ગુરૂ કહેવામાં આવે છે.
1967માં નત્થૂ સિંહ યાદવે મુલાયમ સિંહને ચૂંટણી લડવા માટે પોતાની જસવંતનગરની બેઠક છોડી દીધી હતી. મુલાયમ સિંહ યાદવે પોતાના ગુરૂને નિરાશ કર્યા નહતા અને પોતાની પ્રથમ ચૂંટણીમાં ભારે મતથી જીત મેળવી હતી અને માત્ર 28ની ઉંમરમાં ધારાસભ્ય બનીને વિધાનસભા પહોચ્યા હતા.
મુલાયમ સિંહ યાદવ પર થયુ હતુ ફાયરિંગ
પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી જીતવા પર મુલાયમ સિંહના ગામ સૈફઇમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના માહોલમાં ગોળી પણ ચાલી હતી. કહેવામાં આવે છે કે મુલાયમ સિંહ યાદવને પોતાના કદનો લાભ થયો અને એક પાછળ ઉભેલા એક લાંબા માણસને ગોળી લાગી હતી. એક વખત ફરી આવુ થયુ જ્યારે તેમની પર ફાયરિંગ થયુ હતુ. જોકે, તે બચી ગયા હતા.
ગુપ્ત મતદાનથી મુખ્યમંત્રી બન્યા મુલાયમ સિંહ યાદવ
80ના દાયકાની વાત કરીએ તો તે સમયે જનતા પાર્ટી, જન મોર્ચા, લોક દળ (અ) અને લોકદળ (બ)એ મળીને જનતા દળની રચના કરી હતી. આ ચારેય દળની એકજુટતાની અસર 1989ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હતી. વિપક્ષે રાજ્યમાં 208 બેઠક પર જીત અપાવી હતી. યૂપીમાં તે સમયે 425 બેઠક હતી. આ કારણે જનતા દળને બહુમત માટે 14 ધારાસભ્યની જરૂર હતી.
જનતા દળ સામે એક મુશ્કેલ હતી, તે સમયે મુખ્યમંત્રી પદના બે ઉમેદવાર હતા, એક મુલાયમ સિંહ યાદવ અને બીજા ચૌધરી અજીત સિંહ. કહેવામાં આવે છે કે અજીત સિંહનું નામ લગભગ ફાઇનલ કરી દેવામાં આવ્યુ હતુ પરંતુ નેતાજીના રાજકીય દાંવે દરેક કોઇને ચોકાવી દીધા હતા, તેમણે પણ મુખ્યમંત્રી પદની દાવેદારી કરી હતી. તે બાદ તત્કાલીન વડાપ્રધાન વીપી સિંહે કહ્યુ કે નિર્ણય લોકતાંત્રિક રીતે ગુપ્ત મતદાન દ્વારા થશે. નેતાજીએ અજીત સિંહના ખેમાના 11 ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરી લીધા હતા. તે બાદ બંદ રૂમમાં ગુપ્ત મતદાન કરવામાં આવ્યુ અને અજીત સિંહ પાંચ મતથી હારી ગયા હતા. પાંચ સપ્ટેમ્બર, 1989માં મુલાયમ સિંહે પ્રથમ વખત સીએમ પદના શપથ લીધા હતા.
આ પણ વાંચો: મુલાયમ સિંહ યાદવનું નિધન, 82 વર્ષની વયે ‘નેતાજી’એ દુનિયાને કહ્યું અલવિદા
1975માં ઇમરજન્સી દરમિયાન જેલ ગયા હતા નેતાજી
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ જ્યારે ઇમરજન્સી લગાવી તો બાકી વિપક્ષી નેતાઓની જેમ મુલાયમ સિંહ યાદવ પણ જેલ ગયા હતા. ઇમરજન્સી પછી જનતા પાર્ટી બની તો મુલાયમ સિંહ તેમાં સૌથી સક્રિય સભ્ય હતા. ઇમરજન્સી પછી થયેલી ચૂંટણીમાં ભારતીય રાજનીતિ પુરી રીતે પ્રભાવિત થઇ હતી. આ ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસ અને ઇમરજન્સી વિરૂદ્ધ મતદાન કર્યુ હતુ. તે બાદ ચૂંટણી સમીકરણમાં ઉંચી જાતિનુ વર્ચસ્વ પણ તૂટવા લાગ્યુ હતુ. ચૂંટણી પછી યૂપીમાં રામ નરેશ યાદવને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તો નેતાજીએ પ્રથમ વખત મંત્રી પદના શપથ લીધા હતા.
આ વાતો પણ જાણો-
- મુલાયમ સિંહ યાદવને પ્રેમથી નેતાજીના નામથી સંબોધિત કરવામાં આવે છે
- તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ લિટલ નેપોલિયન કહેતા હતા
- મુલાયમ સિંહ યાદવ રામ મનોહર લોહિયાથી પ્રભાવિત હતા
- રાજનીતિમાં આવ્યા પહેલા તે શિક્ષક હતા
- 1996માં અટલ બિહારી વાજપેયી સરકાર પડ્યા બાદ તેમણે વડાપ્રધાન પદ માટે સોનિયા ગાંધીની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો
Advertisement