જયપુર: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થઇ ગયુ છે અને 24 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાના ચાલુ થઇ ગયા છે. બે દાયકામાં પ્રથમ વખત ગાંધી પરિવારથી કોઇ અધ્યક્ષ પદ માટે ચૂંટણી મેદાનમાં નથી. શશિ થરૂરના ચૂંટણી લડવાની જાહેરાત બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની ચૂંટણી લડવાનું નક્કી છે. એવામાં રાજસ્થાનમાં નેતૃત્વ બદલાવને લઇને પણ ચર્ચા ચાલી રહી છે પરંતુ સચિન પાયલોટના મુખ્યમંત્રી બનવાની રાહમાં માત્ર ગહેલોત જ નહી પણ કેટલાક રાજકીય પડકાર છે.
Advertisement
Advertisement
પાયલોટની રાહમાં ગહેલોત
કોંગ્રેસ અધ્યક્ષ પદને સંભાળવા માટે અશોક ગહેલોત તૈયાર છે પરંતુ રાજસ્થાનમાં પોતાના રાજકીય ઉત્તરાધિકારી સચિન પાયલોટને માનવાના પક્ષમાં નથી. આ કારણે કોંગ્રેસ અધ્યક્ષ પદની સાથે સાથે મુખ્યમંત્રી પદ પર ગહેલોત બન્યા રહેવા માંગે છે. ગહેલોતે પોતાની તરફથી સ્પષ્ટ કર્યુ છે કે તે ગુજરાત વિધાનસભા ચૂંટણી થવા સુધી રાજસ્થાનમાં પાવર ટ્રાન્સફર કરવા નથી માંગતા, પછી તે સચિન પાયલોટ હોય કે એવો કોઇ ઉમેદવાર જ જેના નામ પર સહમતિ હોય. ગહેલોત ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ ભલે બની જાય પરંતુ રાજસ્થાનની સત્તામાં તે રહેવા માંગે છે. પછી તે ખુદ મુખ્યમંત્રી બન્યા રહે અથવા એવો કોઇ સીએમ બને જે તેમને સ્વીકાર્ય હોય.
ધારાસભ્યોનું સમર્થન કોની સાથે
સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાની માંગ ભલે તેમના સમર્થકો દ્વારા ઉઠાવવામાં આવી રહી હોય પરંતુ ધારાસભ્યોનું સમર્થન તેમણે નથી મળી રહ્યુ. સીએમ ગહેલોતને બોલાવવા પર કોંગ્રેસના ધારાસભ્ય તેમના ઘરે પહોચ્યા હતા. ગહેલોતનું આ શક્તિ પ્રદર્શન હતુ. આ પાર્ટીના ટોચના નેતૃત્વને એણ જણાવવાની રીત હતી કે તેમણે રાજ્યના મોટાભાગના ધારાસભ્યોનું સમર્થન છે.
ગહેલોત જૂથમાં પાયલોટ સ્વીકાર્ય નથી
રાજસ્થાન સરકારમાં ગહેલોતના સમર્થકો સાથે સાથે ધારાસભ્ય સચિન પાયલોટની નીચે કામ કરવા નથી માંગતા, તેમાંથી કેટલાકનો તર્ક છે કે તેમણે કોઇ એવા વ્યક્તિના નેતૃત્વને સ્વીકાર નથી કરવો જેને કથિત રીતે પાર્ટી વિરૂદ્ધ વિદ્રોહ કર્યો હતો. રાજસ્થાન સરકારમાં મંત્રી અશોક ચંદના દ્વારા સચિન પાયલોટ પર હુમલો દર્શાવે છે કે તેમણે સમર્થન મેળવવાની જરૂર છે.
આ સિવાય રાજસ્થાનમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય છે, જે સચિન પાયલોટની અંડરમાં કામ કરવા માટે તૈયાર નથી. એવામાં પાયલોટને મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસ કોઇ રીતનું જોખમથી બચવા માંગે છે.
ગુર્જર વર્સિસ મીણાની અદાવત
રાજસ્થાનના રાજકારણમાં ગુર્જર વર્સિસ મીણા સમુદાયની અદાવત જગ જાહેર છે. ગુર્જર સમુદાય ભાજપની પરંપરાગત વોટર છે તો માનવામાં આવે છે કે મીણઆ કોંગ્રેસ સાથે રહે છે. કોંગ્રેસ જો સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવે છે તો ગુર્જર સમુદાયનો રાજકીય પ્રભાવ વધશે, તેમ તેમ મીણા સમુદાયમાં રોષ વધશે. કોંગ્રેસ નહી ઇચ્છે કે કોઇ પણ ભોગે તેની કોર વોટબેન્ક તેનાથી છટકે. માનવામાં આવે છે કે સચિન પાયલોટના રાજકીય રાહમાં રાજ્યનું રાજકીય સમીકરણ સૌથી મોટો રોડો બની રહ્યો છે. ગુર્જર-મીણા સમાજમાં આ સમીકરણ તેવુ જ છે જેમ રાજપૂત અને જાટ સમાજનું છે.
પાયલોટની વફાદારી પર પ્રશ્ન ચિન્હ?
સચિન પાયલોટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રહેતા 2018 વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને સત્તામાં વાપસી કરાવવામાં મુખ્ય રોલ નીભાવ્યો હતો. જેનું પરિણામ હતુ કે તેમણે ડેપ્યુટી સીએમની ખુરશી સોપવામાં આવી હતી પરંતુ 2020માં પાયલોટના બળવા કરવાથી પાયલોટની કોંગ્રેસ પ્રત્યે વફાદારી પર પ્રશ્ન ચિન્હ જરૂર લાગી ગયો છે, બીજી તરફ ગહેલોત ગાંધી પરિવાર પ્રત્યે પોતાની વફાદારીને જાહેર કરતા રહે છે.
રાહુલ ગાંધીથી લઇને સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સુધી તેમના સબંધ મજબૂત છે, જેને કારણે તે સચિન પાયલોટ પર ભારે પડતા રહે છે. એવામાં ગહેલોત અને તેમના સમર્થક આ વાત સારી રીતે જાણે છે કે જો પાયલોટ સિવાય કોઇ અન્ય સીએમ બને છે તો ગહેલોતની વાપસીની તક બની શકે છે. જો પાયલોટ મુખ્યમંત્રી બને છે તો આવુ કરવુ મુશ્કેલ હશે, કારણ કે તે રાજ્યમાં પાર્ટીનો મુખ્ય ચહેરો બની શકે છે.
કોંગ્રેસ સંગઠન પર મજબૂત પકડ
સચિન પાયલોટે ગહેલોત વિરૂદ્ધ બળવાનો ઝંડો ઉઠાવ્યો તો નાયબ મુખ્યમંત્રીની ખુરશી જ નહી પણ રાજ્યના અધ્યક્ષ પદેથી પણ હાથ ધોવા પડ્યા હતા. એવામાં રાજસ્થાન કોંગ્રેસની કમાન ગહેલોતના નજીકના ગોવિંદ સિંહ ડોટાસરાને સોપવામાં આવી હતી જેને કારણે પાયલોટની પકડ સરકારની સાથે સાથે સંગઠનમાં પણ નબળી પડી હતી. બીજી તરફ દિલ્હી દરબારમાં પાયલોટ કરતા વધારે ગહેલોતના નજીકના નેતા છે જ્યારે તેમની સાથે કેટલાક નેતા કોંગ્રેસ છોડી ચુક્યા છે.
એવામાં ગાંધી પરિવાર સામે પાયલોટની મજબૂત બેટિંગ કરનારા નેતા નથી જ્યારે ગહેલોત અને તેમની નજીકના નેતાઓ સીધા પહોચે છે. સચિન પાયલોટની રાહમાં આ એક મોટો પડકાર છે.
Advertisement