મૉસ્કો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ચેતવણીની અસર રશિયામાં ખાસ કરીને જોવા મળી રહી છે. રિઝર્વિસ્ટ એટલે કે આરક્ષિત સૈનિકોની તૈનાતીની જાહેરાત બાદ મોટી સંખ્યામાં રશિયન નાગરિકોએ દેશ છોડવાનું શરૂ કરી દીધુ છે, તેની ગવાહી રશિયા બહાર જતી ફ્લાઇટમાં બુકિંગના આંકડા આપી રહ્યા છે. મુસાફરો રશિયામાંથી નીકળવા માટે વન વે ટિકિટ બુક કરાવી રહ્યા છે જેને કારણે કિંમતોમાં ભારે વધારો થયો છે.
Advertisement
Advertisement
રાષ્ટ્રપતિ તરફથી જાહેર ચેતવણી પછી રશિયન નાગરિકોને માર્શલ લૉનો ડર સતાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે ચિંતા છે કે આવુ થવા પર લડવાની ઉંમર ધરાવતા પુરૂષોને રશિયા છોડવાની પરવાનગી નહી હોય. પુતિને 25 ફેબ્રુઆરીએ યૂક્રેન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી.
ફ્લાઇટ ટ્રેકિંગ સર્વિસ ફ્લાઇટ રડાર તરફથી જાહેર વીડિયોમાં રશિયાથી વન વે ઉડાન ભરી રહેલા વિમાનોની જાણકારી મળી રહી છે. સમાચાર અનુસાર, ગૂગલ ટ્રેડ્સ ડેટા જણાવે છે કે Aviasales (રશિયામાં વિમાન ટિકિટ ખરીદવા માટે લોકપ્રિય વેબસાઇટ)ને લઇને સર્ચમાં વધારો થયો છે. સાથે જ દેશની બહાર જતી ફ્લાઇટ પણ લગભગ પુરી રીતે બુક થઇ ગઇ છે.
શું છે પુતિનની ચેતવણી?
પુતિને ત્રણ લાખ અનામત સૈનિકોની તૈનાતીની જાહેરાત કરી છે અને રશિયાના સાર્વભૌમત્વ માટે જરૂરી ગણાવતા, પશ્ચિમી દેશો પર તેમના દેશ (રશિયા)ને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે 3,00,000 ‘રિઝર્વિસ્ટ’ (અનામત સૈનિકો) ની આંશિક તૈનાતીનું આયોજન કરવામાં આવ્યું છે.
પુતિને ટીવી દ્વારા દેશને સંબોધિત કરતા ચેતવણી આપતા પશ્ચિમી દેશોને કહ્યુ કે રશિયા પોતાના ક્ષેત્રની રક્ષા માટે દરેક સંભવ પગલા ભરશે અને આ કોરૂ નિવેદન નથી. રાષ્ટ્રપતિએ કહ્યુ કે તેમણે આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે અને આ પ્રક્રિયાનો તુરંત પ્રારંભ થઇ જશે.
કોણ હોય છે રિઝર્વિસ્ટ?
રિઝર્વિસ્ટ એવો વ્યક્તિ હોય છે જે સેન્ય આરક્ષિત દળનો સભ્ય હોય છે, આ સામાન્ય નાગરિક હોય છે જેને સૈન્ય ટ્રેનિંગ આપવામાં આવે છે તથા જરૂર પડવા પર તેને ક્યાય પણ તૈનાત કરવામાં આવી શકે છે. શાંતિકાળમાં આ સેવા નથી આપતા.
હવે આગળ શું?
રાષ્ટ્રપતિ પુતિને કહ્યુ કે વિસ્તારિત સીમા રેખા, યૂક્રેનની સેના દ્વારા રશિયાના સરહદી વિસ્તારમાં ગોળીબાર અને મુક્ત કરાવવામાં આવેલા ક્ષેત્રો પર હુમલા માટે રિઝર્વથી સૈનિકોને બોલાવવા જરૂરી હતા, તેમના સંબોધનના એક દિવસ પહેલા દક્ષિણી અને પૂર્વી યૂક્રેનના રશિયાના કબજા ધરાવતા વિસ્તારની જાહેરાત કરવામાં આવી કે તે રશિયાનો અભિન્ન અંગ બનવા માટે 23થી 27 સપ્ટેમ્બર વચ્ચે જનમત સંગ્રહ કરાવશે.
Advertisement