ભૂકંપના કારણે સર્જાયેલા વિનાશ વચ્ચે અફઘાનિસ્તાનની જમાન મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 15 લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ઘાયલ થયા છે. ધડાકો થયો ત્યારે લોકો મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યા હતા. બોમ્બ બ્લાસ્ટ બાદ ચારેબાજુ અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
કહેવામાં આવી રહ્યું છે કે આ આત્મઘાતી હુમલો હતો. તેમાં આતંકીએ મસ્જિદમાં ઘૂસીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ મસ્જિદ અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતની રાજધાનીમાં આવેલી છે અને તેને શિયા સમુદાયની મસ્જિદ માનવામાં આવે છે. આત્મઘાતી હુમલા પાછળનો ઈરાદો શિયા મુસ્લિમોને નિશાન બનાવવાનો હોવાનું માનવામાં આવે છે.
મળતી માહિતી મુજબ વિસ્ફોટથી મસ્જિદની આસપાસના વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું છે. અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ ઈસ્લામિક સ્ટેટની સંડોવણીને નકારી શકાતી નથી. આ પહેલા પણ ઈસ્લામિક સ્ટેટ શિયા મુસ્લિમો પર આતંકી હુમલા કરી ચુક્યું છે.
અફઘાનિસ્તાનમાં હાલના સમયે સ્થિતિ ખૂબ જ નાજુક છે. એક તરફ ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી તરફ દેશમાં આતંકવાદી હુમલા ચાલુ છે.
મસ્જિદ વિસ્ફોટ પછી વાયરલ થયેલા વીડિયોમાં કાટમાળ અને વસ્તુઓ જમીન પર વેરવિખેર પડેલી જોઈ શકાય છે. આ સિવાય કફનથી ઢંકાયેલા મૃતદેહો પણ દેખાય છે. તાલિબાન સત્તામાં આવ્યા બાદથી દેશમાં શિયા મુસ્લિમો અને અન્ય લઘુમતીઓ પરના હુમલા વધી ગયા છે.
ઉલ્લેખનીય છે કે શનિવારના ભૂકંપમાં મૃત્યુઆંક 2500ને પર પહોંચી ગયો છે અને હજારો મકાનો ધરાશાયી થયા છે.
Advertisement