દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું હતું. પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મણિપુર હિંસાને લીધે ઉભી થયેલી પરિસ્થિતિની યાદી આપી હતી. એટલું જ નહીં, રાષ્ટ્રપતિને આપેલા આવેદનમાં કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા રિટાયર્ડ જજના નેતૃત્વમાં તપાસ સમિતિની રચના થવી જોઈએ.
Advertisement
Advertisement
સરકારે વળતરની જાહેરાત કરી
મણિપુરમાં શાંતિ સ્થાપવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, ઘણી જગ્યાએથી હિંસાના અહેવાલો મળી રહ્યા છે. આ હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે સરકારે અસરગ્રસ્ત પરિવારોને વળતરની જાહેરાત કરી છે. બીજી બાજુ, કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું અને ઉચ્ચ સ્તરીય તપાસ પંચની રચનાની માંગ કરી. કોંગ્રેસે અધ્યક્ષને આપેલી યાદીમાં પાર્ટી વતી 12 માંગણીઓ રજૂ કરવામાં આવી છે.
કોંગ્રેસે એક નિવેદન જારીને જણાવ્યું છે કે આજે મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રપતિને 4 પાનાનું મેમોરેન્ડમ સુપરત કર્યું છે. તેમાં મણિપુરમાં શું પગલાં લેવા જોઈએ તેની અમે માગણી કરી છે. અમે જે મેમોરેન્ડમ રજૂ કર્યું છે તેમાં કોંગ્રેસ તરફથી 12 મુદ્દાનો એક્શન પ્લાન છે, જેથી મણિપુરમાં શાંતિ અને સૌહાર્દ ફરી સ્થપાય.
કોંગ્રેસની માંગ
હિંસાને નિયંત્રણમાં લેવા અને સ્થિતિ સામાન્ય બનાવવાની સાથે શાંતિ સ્થાપવા તાત્કાલિક પગલાં લેવા
કેન્દ્ર સરકાર દ્વારા અસામાજિક તત્વોને ડામવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા
ડુંગરાળ વિસ્તારની આજુબાજુના બંને સમુદાયના ગામોમાં સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવી.
કેન્દ્ર સરકારે વિસ્થાપિત વ્યક્તિઓના તેમના નિર્ધારિત સ્થાનો અથવા સલામત સ્થળોએ પુનઃસ્થાપનની વ્યવસ્થા કરવી
પીડિતો અને અસરગ્રસ્ત લોકોને તેમને થયેલા નુકસાનને અનુરૂપ યોગ્ય વળતર
મણિપુર હિંસામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમની તાત્કાલિક ઓળખ કરવી, અંતિમ સંસ્કાર માટે તેમના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવા
મોટી સંખ્યામાં ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે ખાસ ઓપરેશન શરૂ કરવું જોઈએ.
રાહત શિબિરોમાં મોટી સંખ્યામાં બાળકો રહે છે, તેવા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વિશેષ વ્યવસ્થા
Advertisement