ભારતના પડોશી દેશ ચીને વધુ એક વાર સાપની જેમ ડંખ માર્યો છે. આ વખતે તેણે કોઈ સરહદી વિસ્તારની કબ્જેબંદી કરવાનો પ્રયાસ કર્યો નથી પરંતુ ભારતીયોના ખીસ્સા કાતરવાનું કૃત્ય કર્યું છે. ભારતીયો માટે પવિત્ર ગણાતી એવી કૈલાસ માન સરોવરની યાત્રામાં આકરા નિયમો લાદી દીધી છે. હવે આ યાત્રા માટે ભારતીય નાગરિકોએ મુસાફરી માટે ઓછામાં ઓછા 1.85 લાખ રુપિયા ખર્ચ કરવા પડશે.
આ યાત્રા માટે યાત્રાળુએ વ્યક્તિગત રીતે ચીનના દૂતાવાસ જઈ વિઝા લેવા પડશે. ઉપરાંત યાત્રિકો માટે ઓનલાઈન વિઝા અરજી સ્વીકારવામાં આવશે નહીં. જો યાત્રિકો તેની મદદ માટે નેપાળથી કોઈ કાર્યકર અથવા મદદગાર રાખશે તો 300 ડોલર એટલે કે 24 હજાર રુપિયા વધારાની ફી ચૂકવવી પડશે. આ ફીને ગ્રાસ ડેમેજિંગ ફી કહેવાય છે.
ચીનની દલીલ છે કે પ્રવાસ દરમિયાન કૈલાશ પર્વતની આસપાસના ઘાસને નુકસાન થાય છે જે પ્રવાસી પાસેથી ભરપાઈ કરાશે. કાઠમંડુ અથવા અન્ય આધાર શિબિરમાં બાયોમેટ્રિક ઓળખ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
હવે વિઝા મેળવવા માટે ઓછામાં ઓછા 5 લોકોનું ગ્રૂપ હોવું જરુરી છે. તેમાંથી ચાર લોકોએ ફરજિયાતપણે વિઝા માટે જાતે પહોંચવું પડશે.
એક કાર્યકરને તમારી સાથે રાખવા માટે 15 દિવસ માટે 13 હજાર મુસાફરીની ફી પણ લેવામાં આવશે. અગાઉ તે માત્ર 4200 રુપિયા હતી.
આ પ્રવાસનું સંચાલન કરતી નેપાળી કંપનીઓએ ચીનની સરકાર પાસે 60 હજાર ડોલર જમા કરાવવાના રહેશે. આ સાથે સમસ્યા એ છે કે નેપાળી ટ્રાવેલ એજન્સીઓને વિદેશી બેંકોમાં પૈસા જમા કરાવવાની મંજૂરી નથી.
કૈલાસ માનસરોવર યાત્રા 3 અલગ અલગ હાઈવેથી કરાશે. પ્રથમ- લિપુલેખ પાસ, બીજો-નાથુ પાસ અને ત્રીજો – કાઠમંડુ પાસેથી કરાશે. આ ત્રણ રુટ ઓછામાં ઓછા 14 અને વધુમાં વધુ 21 દિવસનો લાગે છે.
ઉલ્લેખનીય છે કે કૈલાસ માનસરોવર યાત્રા વર્ષ 2019માં બંધ હતી.
Advertisement