સમગ્ર વિશ્વને આગામી જુલાઈ મહિનામાં આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. અલ નીનોની અસરને કારણે વિશ્વભરના તાપમાનમાં વધારો થવાના સંકેત છે.
વિશ્વ હવામાન સંગઠનના એક રિપોર્ટ અનુસાર અલ નીનો હવે જુલાઈના અંત સુધીમાં આવી શકે છે. અલ નીનોને કારણે ગરમી સમગ્ર વિશ્વમાં પાયમાલીનું કારણ બનશે.
વિષુવૃત્તીય પેસિફિક મહાસાગરના ગરમ થવાની સંભાવના વધી રહી છે જેને ‘અલ નીનો’ ગતિવિધિ કહેવામાં આવે છે અને તે ઉચ્ચ વૈશ્વિક તાપમાન સાથે સંકળાયેલ છે. જે ભારત સહિત સમગ્ર વિશ્વ પર તેની અસર પડશે.
હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે ફરી એકવાર અલ નીનો આવવાને કારણે વૈશ્વિક તાપમાનમાં રેકોર્ડબ્રેક વધારો થશે. ભારતમાં ચોમાસા પર પણ તેની અસર થવાની શક્યતા છે.
IMDના મહાનિર્દેશકે કહ્યું હતું કે ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ સર્જાઈ શકે છે અને તેની અસર ચોમાસાના બીજા ભાગમાં જોવા મળી શકે છે. 1951-2022 વચ્ચેના તમામ વર્ષો જ્યારે અલ નીનો સક્રિય હતો તે તમામ વર્ષો ચોમાસાની દ્રષ્ટિએ ખરાબ ન હતા. આ વર્ષે અલ નીનો અસરવાળા 15 વર્ષ હતા અને તેમાંથી 6માં સામાન્યથી લઈ સામાન્ય કરતા વધુ વરસાદ થયો હતો.
Advertisement