લંડનમાં 6 મે ના રોજ વેસ્ટમિન્સ્ટર એબેમાં કિંગ ચાર્લ્સ ત્રીજાની તાજપોશી કરવામાં આવશે. આ રાજયાભિષેકમાં સૌથી પવિત્ર ધાર્મિક વિધિ માટે ઉપયોગમાં લેવાતા કાપડના પડદાનું અનાવરણ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પડદા પર ભારત સહિત રાષ્ટ્રમંડલના પ્રત્યેક સભ્ય દેશનું નામ હશે. બ્રિટીશ રાજાશાહીના લંડનમાં આવેલા સત્તાવાર આવાસ બકિંગહામ પેલેસ દ્વારા જાણકારી અપાઈ છે.
આ પડદા ઐતિહાસિક સ્વરુપે આ વિધિ કિંગના કોમનવેલ્થ પ્રત્યેના ખાસ લગાવને પ્રદર્શિત કરે છે. બ્રિટનના રાજા ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ જેવા કુલ 14 કોમનવેલ્થ દેશોના પણ રાજા હોય છે.
તાજપોશી સેરેમની સમારોહ દરમિયાન વેસ્ટમિન્સ્ટરના ડીન એક કળશમાંથી પવિત્ર તેલ રાજયાભિષેક માટેની ચમચીમાં નાખે છે. કેંટરબરીના આર્કબિશપ મહારાજા ના હસ્તે છાતી અને માથા પર આ તેલ લગાવવામાં આવે છે.
આ લંડનમાં સેંટ જેમ્સ પેલેસના ચેપલ રોયલમાં આ રાજયાકભિષેક પડદાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પડદાના કાપડમાંનું ઉન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી ખાસ મંગાવવામાં આવેલું છે. બ્રિટનની મહારાણી એલિઝાબેથના નિધન પછી પુત્ર કિંગ ચાર્લ્સની તાજપોશી માટે તડામાર તૈયારીઓ શરુ થઇ છે. બ્રિટનમાં આ અવસર એક સપ્તાહ સુધી રાજયાભિષેક સમારોહ તરીકે ઉજવવામાં આવશે. 7 મે ના રોજ થનારા કોન્સર્ટનાં બોલિવૂડ એકટ્રેસ સોનમ કપૂર સામેલ થશે.
કહેવાય છે કે આ ભવ્ય સમારોહમાં 1000 કરોડથી વધુનો ખર્ચ થઈ જશે.
Advertisement