યુક્રેનિયન ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એમિન ઝાપારોવા ભારતના પ્રવાસે છે ત્યારે તેમણે ભારતને મધ્યસ્થી બનાવીને યુક્રેન-રશિયા યુદ્ધને ઉકેલવાની દિશા તરફ વાત કરી છે. ફેબ્રુઆરી 24મીથી યુક્રેન યુદ્ધ ચાલુ થયું છે એ પછી આજે પહેલીવાર ભારતમાં યુક્રેનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એમિન ઝાપારોવા ભારતના પ્રવાસે આવ્યા છે અને તેમની અપેક્ષા એ છે કે ભારત કંઈક કરે.
Advertisement
Advertisement
તેમણે જણાવ્યું હતું કે ભારત આખા વિશ્વમાં ગ્લોબલ માસ્ટર પ્લેયર છે. પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ ભારતને શાંતિદૂત દેશ તરીકે વ્યક્ત કર્યો છે. તેમણે એવું પણ કહ્યું હતું કે આ સમય યુદ્ધનો નહીં પણ શાંતિનો સમય છે. આ જ અપેક્ષાથી હું ભારત આવી છું કે તે કંઈક કરે. રશિયા સાથેના આર્થિક વ્યવહારોને કારણે અમે ભારતને કોઈ સૂચન ના કરી શકીએ. અમે ઈચ્છીએ કે ભારત તેના સ્ત્રોતને પણ અન્ય દેશોમાં વાળી શકે તેમ છે. ભારત દરેક અંશે સ્વાયત્ત દેશ છે. જ્યારે અમે રશિયા પર આધારિત છીએ.
જો વડાપ્રધાન નરેન્દ્રમ મોદી અમારા પ્રમુખ સાથે વાત કરશે તો તેઓ ચેક્કસ તેમને યુક્રેન આવવા માટે આમંત્રણ આપશે. ભારત ખરેખર શાંતિ માટે વિશ્વગુરુ બની શકે તેમ છે. યુક્રેન પણ ભારતની જેમ જ શાંતિના માર્ગે લડત આપી રહ્યું છે.
Advertisement