સુરતની કોર્ટ દ્વારા મોદી અટક અંગે માનહાનિના કેસમાં 2 વર્ષની સજાનો સામનો કર્યા બાદ સાંસદ પદ ગુમાવી ચૂકેલા રાહુલ ગાંધી આજે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. તેમણે કહ્યું કે અદાણી અંગ મેં સંસદમાં સવાલો કર્યા હતા. તેના મેં પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. તેમ છતાં મારા સવાલોના જવાબો આપવામાં આવ્યા નથી. તેનાથી વિપરિત મને ધમકાવીને ચૂપ કરાવી દેવાનો પ્રયાસ કરાયો છે.
Advertisement
Advertisement
અદાણીના મુદ્દા પરથી ફક્ત દેશનું ધ્યાન ભટકાવવા આ બધા ગતકડાં કરવામાં આવી રહ્યા છે. સંસદમાં મંત્રીઓએ મારા વિશે જુઠ્ઠાં નિવેદનો આપ્યા. મને મારી વાત રજૂ કરવાની તક પણ ન આપી. મેં સ્પીકર સાથે મુલાકાત કરી. તેમને પત્રો પણ લખ્યા.
આ દેશના લોકતંત્ર પર આક્રમણ સમાન બાબત છે. તેમણે કહ્યું કે મને અયોગ્ય જાહેર કરીને પણ તમે ચુપ નહીં કરાવી શકો. મારા પર વિદેશમાં ઊંધી વાતો બોલવાના આરોપ મૂકી રહ્યા છો. તે ખોટું છે. હું સવાલો પૂછવાનું બંધ નહીં કરું. મને ધમકાવીને ચુપ નહીં કરાવી શકો. હું કોઈનાથી ડરતો નથી. તેમણે કહ્યું કે મોદી અને અદાણી વચ્ચે જૂના સંબંધો અને સાંઠગાંઠ છે. મોદી અદાણી વિશે કંઈ જ બોલતા કેમ નથી? અદાણી ગ્રૂપની અનેક કંપનીઓ ફેક છે. તેની કંપનીઓમાં કરાયેલું રોકાણ કોનું છે?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાના વિરોધમાં દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. તેના પર તેમણે કહ્યું- મને સમર્થન કરવા માટે હું તમામ વિપક્ષી પાર્ટીઓનો આભાર માનું છું, અમે બધા સાથે મળીને કામ કરીશું. માફીના પ્રશ્ન પર તેમણે કહ્યું- ગાંધી ક્યારેય માફી માંગતા નથી. હું સાવરકર નથી.
રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં OBCનો કોઈ મામલો નથી. આ અદાણી અને મોદીજી વચ્ચેના સંબંધની વાત છે. જો તમે ભારત જોડો યાત્રા દરમિયાન આપેલા મારા નિવેદનો જોશો તો મેં આવું ક્યારેય કહ્યું નથી. મેં દરેક વર્ગને એક થવા કહ્યું. તેમણે કહ્યું- બધા એક છે, દેશમાં ભાઈચારો હોવો જોઈએ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ મને કાયમ માટે ગેરલાયક ઠેરવે તો પણ હું મારું કામ કરતો રહીશ. હું સંસદની અંદર હોઉં કે ન હોઉં તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું દેશ માટે લડતો રહીશ.
Advertisement