નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પત્ની રાબડી દેવીની સાથે પુત્રી મીસા ભારતીને કોર્ટે મોટી રાહત આપી છે. જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં આ તમામને જામીન મળી ગયા છે. રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ યાદવ, મીસા ભારતી અને રાબડી દેવીને રૂ.50 હજારના જાતમુચરકા પર જામીન મંજૂર કર્યા છે. કેસની સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે CBIએ ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ દાખલ કરી છે.
Advertisement
Advertisement
કોર્ટે કહ્યું ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ દાખલ કરાઈ
લાલુ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી સહિત 16 લોકોનેઆજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જમીનના બદલામાં નોકરી કેસમાં કોર્ટે પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેમની પુત્રી અને રાજદ સાંસદ મીસા ભારતી તથા અન્ય આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે કહ્યું કે CBIએ ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ દાખલ કરી છે.
આ 16 લોકોને મોકલવામાં આવ્યા હતા સમન્સ
લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી, રાજકુમાર સિંહ, મિથિલેશ કુમાર, અજય કુમાર, સંજય કુમાર, ધર્મેન્દ્ર કુમાર, વિજયકુમાર, અભિષેક કુમાર, રવિન્દ્ર રાય, કિરણ દેવી, અખિલેશ સિંહ, રામાશિષ સિંહ, કમલદીપ મનરાઈ (તત્કાલીન સીપીઓ સેન્ટ્રલ રેલવે) અનેસૌમ્યા રાઘવન સામે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી..
રાજદે રાજકીય લડાઈ ગણાવી
શનિવાર 11 માર્ચ, 2023ના રોજ EDએ લાલુ યાદવ અને તેમના પરિવારના દિલ્હી – એનસીઆર, પટણા, મુંબઈ અને રાંચીમાં 24 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા નોકરી માટે જમીન અથવા જમીનના બદલામાં રેલવેમાં નોકરીના મામલે પાડવામાં આવ્યા હતા. કેટલાંક મીડિયા રિપોર્ટમાં ઈડીના સૂત્રોના હવાલાથી જણાવાયું હતું કે દરોડા દરમિયાન રૂ. 600 કરોડની લેવડ-દેવડ થઈ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ, રાજદે દરોડા દરમિયાન જે કંઈ મળી આવ્યું હતું તેને ઉજાવી કાઢેલા સમાચાર ગણાવ્યા હતા અને આગામી દિવસોમાં કેટલીક બાબતો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
Advertisement