નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 1984ની ભોપાલ ગેસ લીકેજ દુર્ઘટનાના પીડિતોને વધારાનું વળતર ચૂકવવાની માગણી સાથેની કેન્દ્ર સરકારની અરજી ફગાવી દીધી છે. કેન્દ્ર સરકારે યુનિયન કાર્બાઈડ કોર્પોરેશનની હાલની માલિક કંપની ડોવ કેમીકલ્સ પાસેથી વધારાના રૂ.7,800 કરોડથી વધુ રકમના વળતરની માગણી સાથે અરજી દાખલ કરી હતી.
Advertisement
Advertisement
વળતર વધારવા અંગેની ક્યુરેટિવ પિટિશન ફગાવી
સુપ્રીમ કોર્ટની બંધારણ બેન્ચે અરજી પર સુનાવણી પછી 12 જાન્યુઆરી પર ચુકાદો અનામત રાખ્યો હતો. વળતરની રકમ વધારવા માટે કેસ ફરી ખોલવા અંગેની ક્યુરેટિવ પિટિશનની સુનાવણી કરતાં પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણ બેન્ચે જણાવ્યું કે તે બે દાયકા પછી આ મામલાને હાથ પર લેવાના કેન્દ્રના નિર્ણયને નકારી કાઢે છે.
1984ની દુર્ઘટનામાં 3,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે 1984માં બનેલી ગેસ લીકેજની આ દુર્ઘટનામાં 3,000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ગેસ લીકેજને લીધે પર્યાવરણને પણ ભારે નુક્સાન થયું હતું. 1989માં સમાધાન પેટે યુનિયન કાર્બાઈડ કંપનીએ રૂ.715 કરોડ ચૂકવ્યા હતા. કેન્દ્ર સરકાર યુનિયન કાર્બાઈડ કોર્પોરેશનની હાલની માલિક કંપની ડોવ કેમીકલ્સ પાસેથી વધારાના રૂ.7,844 કરોડથી વધુ રકમના વળતરની માગણી અંગે અરજી કરી હતી.
Advertisement