ચંડીગઢઃ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ અને તેમના પત્ની ચરણકૌર પુત્રને ન્યાય અપાવવા માટે પંજાબ વિધાનસભા બહાર ધરણાં પર બેઠાં છે. બલકૌર સિંહે તેમના પુત્રના હત્યારાઓ ન ઝડપાતાં સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે હત્યાકાંડમાં સામેલ કેટલાંક લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ, તેનો માસ્ટરમાઈન્ડ હજુ પણ પોલીસની પહોંચ બહાર છે. તેમણે તેમના પુત્રની પહેલી વરસી અગાઉ આ પગલું લીધું છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી વિધાનસભાનું સત્ર ચાલશે ત્યાં સુધી તેમના ધરણાં ચાલશે.
Advertisement
Advertisement
દિવંગતસિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ છેલ્લાં દસ મહિનામાં ઘણી વખત પોલીસ અને પ્રશાસકો પાસે ગયા હતા. તેમને ખાતરી આપવામાં આવી હતી.પરંતુ, અહીં જે થઈ રહ્યું છે તે મારા પુત્રની હત્યાને ઢાંકવા માટે થાય છે. મારા પુત્રને ન્યાય અપાવવા માટે પોલીસ અને પ્રશાસન તરફથી કશું જ કરવામાં આવતું નથી. તેથી મારે વિધાનસભા આવવું પડ્યું છે.
બલકૌર સિંહે વધુમાં ક્હયું કે આ કેસની તપાસ સીબીઆઈએ કરવી જોઈએ. આ ગેંગસ્ટર (કેસમાં ધરપકડ કરાયેલ) કોણ છે, આ લોકો તો ખાલી સાગરિતો છે. તેમણે પૈસા લીધા અને તેને ગોળી મારી દીધી. માસ્ટરમાઈન્ડ, જેણે મારા પુત્રને નિશાનબનાવ્યો, ગોલ્ડી બરાર સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે ?
ઉલ્લેખનીય છે કે 29 મે 2022ના રોજ મનસામાં સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૂસેવાલા પંજાબના જાણીતા ગાયક હતા અને તેઓ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટપર ચૂંટણી લડ્યા હતા. તેમની સુરક્ષાઓછી કરી દેવાઈ હતી તે પછી તેમને ઠાર મારી દેવાયા હતા. આ કેસને લઈને વિપક્ષે પંજાબની ભગવંત માન સરકારની ઉગ્ર ટીકા કરી હતી. હત્યાકાંડમાં સામેલ આરોપી ઘટના બાદ વિદેશ ફરાર થઈ ગયા હતા.
Advertisement