ઇંસ્તંબુલ: તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 12 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. બન્ને દેશની મદદ માટે ભારતની રેસક્યૂ ટીમ આ દેશમાં અભિયાન ચલાવી રહી છે. વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે તુર્કીમાં 10 ભારતીય ફસાયા છે. જ્યારે એક ભારતીય લાપતા થઇ ગયો છે.
Advertisement
Advertisement
વિદેશ મંત્રાલયમાં સચિવ સંજય વર્માએ કહ્યુ કે લાપતા ભારતીય નાગરિક માલ્ટામાં તુર્કીની બિઝનેસ યાત્રા પર હતો, તેની કોઇ જાણકારી મળી નથી, તેમણે કહ્યુ કે તુર્કી માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન દોસ્ત હેઠળ ભારત સતત નાગરિકોના સંપર્કમાં છે. વર્માએ કહ્યુ કે છેલ્લા બે દિવસથી એક ભારતીય ગાયબ થયો હોવાના સમાચાર મળ્યા છે. અમે તેના પરિવાર અને બેંગલુરૂમાં તેને નોકરી આપનારી કંપનીના સંપર્કમાં છીએ.
રાહત કાર્યમાં પડકાર
સંજય વર્માએ કહ્યુ કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં રાહત કાર્ય દરમિયાન કેટલાક પડકાર સામે આવી રહ્યા છે. રાત્રે તાપમાન શૂન્યથી નીચે રહેવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજી તરફ પરિવહન અને સંચાર સંપર્ક અસ્તવ્યસ્ત થઇ ગયો છે. સેલફોન ટાવર પ્રભાવિત થતા લોકોનો સંપર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે.
વિદેશ મંત્રાલયે કહ્યુ કે તુર્કીમાં ફસાયેલા લોકોની જાણકારી માટે અંકારામાં એક વિશેષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે. સંજય વર્માએ કહ્યુ કે અમને 75 લોકોના ફોન આવ્યા હતા જેમણે દૂતાવાસની જાણકારી અને સહાયતા માંગી હતી, તેમણે કહ્યુ કે ત્રણ ભારતીય જેમણે અમારો સંપર્ક કર્યો તે હવે સુરક્ષિત ઘરમાં જતા રહ્યા છે. અમે પહેલાથી પ્રભાવિત વિસ્તારમાં બચાવ અભિયાન માટે ટીમને નિયુક્ત કરી દીધી છે.
NDRFની ટીમ બચાવ અભિયાન ચલાવી રહી છે
NDRFના ડિરેક્ટર અતુલ કરવાલે કહ્યુ કે ભારતે તુર્કીને ચાર વિમાન મોકલ્યા છે, જેમાંથી બેમાં NDRFની ટીમ છે અને બે સી-17માં મેડિકલ ટીમ છે, તેમણે કહ્યુ કે અમે તબીબી પુરવઠો અને ઉપકરણો સાથે એક સી-130 વિમાન પણ સીરિયા મોકલ્યુ છે. કરવાલે કહ્યુ કે ટીમ પાસે 15 દિવસમાં ઓપરેશન માટે રાશન અને ટેન્ટ છે. આ ટીમમાં સાત વાહન, ચાર સ્નિફર ડૉગ, પાંચ મહિલાઓ સહિત 107 બચાવ કર્મી હતા, જે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ રીતના ઓપરેશનમાં પ્રથમ વખત ગયા છે. એક ત્રીજી ટીમની જરૂર હતી, તેને બુધવારે વારાણસીથી એરલિફ્ટ કરવામાં આવી હતી. આ ટીમમાં 51 બચાવકર્મી અને ચાર વાહન છે.
Advertisement