નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર શરૂ થઇ ગયુ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદના બન્ને સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. આ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંસદમાં પ્રથમ ભાષણ છે. આ પ્રસંગે તેમણે કહ્યુ કે આ યુગ નિર્માણનો અવસર, આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે.
Advertisement
Advertisement
પારદર્શી વ્યવસ્થા દેશે તૈયાર કરી- રાષ્ટ્રપતિ મુર્મૂ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યુ, જનધન આધાર-મોબાઇલથી ખોટા લાભાર્થીઓને હટાવવાથી લઇને વન નેશન-વન રાશન કાર્ડ સુધી, એક મોટો અસ્થાઇ સુધારો અમે કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડીબીટીના રૂપમાં, ડિઝિટલ ઇન્ડિયાના રૂપમાં, એક સ્થાઇ અને પારદર્શી વ્યવસ્થા દેશે તૈયાર કરી છે. આયુષ્યમાન ભારત યોજનાએ દેશના કરોડો ગરીબોને ગરીબ થતા બચાવ્યા છે, તેમના 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ થતા બચાવ્યા છે.
પહેલા ટેક્સ રિફંડ માટે લાંબી રાહ જોવી પડતી હતી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યુ, પહેલા ટેક્સ રિફંડ માટે લાંબી રાહ જોવી પડતી હતી. આજે ITR ભરવાના કેટલાક દિવસની અંદર રિફંડ મળી જાય છે. આજે GSTથી પારદર્શિતાની સાથે સાથે કરદાતાઓની ગરિમા પણ સુનિશ્ચિત થઇ રહી છે.
સરકાર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ- દ્રૌપદી મુર્મૂ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યુ, મારી સરકારનો સ્પષ્ટ મત છે કે ભ્રષ્ટાચાર લોકતંત્રનો અને સામાજિક ન્યાયનો સૌથી મોટો દુશ્મન છે, માટે કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચાર વિરૂદ્ધ નિરંતર લડાઇ ચાલી રહી છે. અમે સુનિશ્ચિત કર્યુ છે કે વ્યવસ્થામાં ઇમાનદારનું સમ્માન થશે. ભ્રષ્ટાચાર મુક્ત ઇકો સિસ્ટમ બનાવવા, બેનામી સંપત્તિ અધિનિયમને નોટિફાઇ કરવામાં આવી છે.
સરકારે કડક પગલા ભર્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યુ, સર્જિકલ સ્ટ્રાઇકથી લઇને આતંકવાદ પર કઠોર પ્રહાર સુધી, એલઓસીથી લઇને એલએસી સુધી દરેક દુસાહસના કડક જવાબ આપ્યા, આર્ટિકલ 370 હટાવવાથી લઇને ત્રણ તલાક સુધી, મારી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહી છે.
આજે ભારત દુનિયાની સમસ્યાઓના સમાધાનનું માધ્યમ- રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યુ, હું આજે આ સત્રના માધ્યમથી, દેશવાસીઓનો આભાર વ્યક્ત કરૂ છુ કે તેમણે સતત બે વખત, એક સ્થિર સરકારને પસંદ કરી છે. મારી સરકારે દેશહિતને સર્વોપરિ રાખી, નીતિ-રણનીતિમાં સંપૂર્ણ પરિવર્તનની ઇચ્છાશક્તિ બતાવી. જે ભારત ક્યારેક પોતાની સમસ્યાઓના સમાધાન માટે બીજા પર નિર્ભર હતુ, તે આજે દુનિયાની સમસ્યાઓના સમાધાનનું માધ્યમ બન્યું છે. જે સુવિધાઓ માટે દેશની એક મોટી વસ્તીએ દાયકા સુધી રાહ જોઇ, તે આ વર્ષોમાં તેમણે મળી છે.
નારી શક્તિ સમાજને દિશા આપનારી હોય- રાષ્ટ્રપતિ મુર્મૂ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યુ કે, સરકારના લગભગ 9 વર્ષમાં ભારતના લોકોએ અનેક સકારાત્મક પરિવર્તન પ્રથમ વખત જોયા છે. સૌથી મોટુ પરિવર્તન આ થયુ કે આજે દરેક ભારતીયનો આત્મવિશ્વાસ ટોચ પર છે અને દુનિયાનું ભારતને જોવાનો નજરિયો બદલાયો છે. આપણા માટે યુગ નિર્માણનો અવસર છે. આપણે એવા ભારતને બનાવવાનું છે જે આત્મનિર્ભર છે અને જે પોતાના માનવીય દાયિત્વને પૂર્ણ કરવામાં સમર્થ હોય, જેમાં ગરીબી ના હોય, જેનો મધ્યમ વર્ગ પણ વૈભવથી યુક્ત હોય. જેની યુવાશક્તિ, નારી શક્તિ, સમાજ અને રાષ્ટ્રને દિશા આપવા માટે ઉભી હોય.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યુ કે 2047 સુધી આપણે એવા દેશનું નિર્માણ કરવુ છે, જે અતીતના ગૌરવ સાથે જોડાયેલુ હોય અને જેમાં આધુનિકતાના તમામ સ્વર્ણિમ અધ્યાય હોય. આપણે એક એવા ભારતનું નિર્માણ કરવાનું છે જે ‘આત્મનિર્ભર’ હોય અને પોતાના માનવીય કર્તવ્યોને પૂર્ણ કરવામાં સક્ષમ હોય.’
Advertisement