બેંગલુરૂ: ભાજપે જે ફૉર્મૂલાના દામ પર ગુજરાતમાં 156 વિધાનસભા બેઠક જીતી હતી તે ફૉર્મૂલા હવે કર્ણાટકમાં પણ લાગુ કરવામાં આવશે. 30% ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવશે. તે લોકોની ટિકિટ કાપવામાં આવશે જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગુજરાતની જેમ મુખ્યમંત્રી બદલવામાં નહી આવે કારણ કે હવે ચૂંટણીમાં ત્રણ મહિના જ બાકી છે. આ નક્કી છે કે ભાજપ જીત્યુ અને સત્તામાં આવ્યુ તો બસવરાજ બોમ્મઇને ફરી મુખ્યમંત્રી બનાવવામાં નહી આવે.
Advertisement
Advertisement
ચૂંટણી પહેલા પ્રદેશ સંગઠનમાં પણ બદલાવ થવા જઇ રહ્યો છે. ભાજપના એક સીનિયર લીડર અનુસાર, કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષસહિત તેમની પુરી ટીમને જલ્દી હટાવવામાં આવી શકે છે, જેનો અર્થ લોકો સુધી આ મેસેજ પહોચાડવાનો છે કે જૂના લોકોને હટાવીને નવા લોકોને લાવવામાં આવી રહ્યા છે.
કર્ણાટકમાં ભાજપ સરકાર એન્ટી ઇન્કમ્બસી સામે ઝઝુમી રહ્યુ છે. અત્યારે જે સર્વે રિપોર્ટ્સ આવી રહ્યો છે તેમાં પાર્ટીને માત્ર 60થી 70 બેઠક મળવાનું અનુમાન છે જ્યારે બહુમત માટે 113 બેઠક જોઇએ.
કોંગ્રેસ માટે ચિંતાની વાત આ છે કે સર્વેમાં તેને પણ બહુમત મળતો જોવા નથી મળતો. કોંગ્રેસને 80થી 90 બેઠક મળવાની આશા છે. એવામાં ભાજપનું ફરી એક વખત સત્તામાં પરત ફરવાની આશા યથાવત છે. જો ભાજપ આમ કરી શકે છે તો આ કર્ણાટકના 37 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત હશે કે કોઇ પાર્ટી સતત બીજી વખત સત્તામાં આવશે.
PM મોદી પાસે તમામ રિપોર્ટ પહોચ્યા
BJPના એક સીનિયર નેતાએ નામ જાહેર ના કરવાની શરતે જણાવ્યુ કે સંગઠનમાં બદલાવ અને ટિકિટ કાપવાના નિર્ણય પાછળ 3 સર્વે થયા છે. ગૃહમંત્રી અમિત શાહ, કર્ણાટક સરકાર અને સંગઠને પોતાનો અલગ અલગ સર્વે કરાવડાવ્યો છે. આ તમામ રિપોર્ટ્સ PM મોદીની ઓફિસમાં પહોચી ગયા છે.
આ મહિનાના અંતમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આદેશ મળી જશે કે આ સ્ટ્રેટેજી હેઠળ ચૂંટણી લડવાની છે. આ સ્પષ્ટ છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્ને મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇના કામકાજથી ખુશ નથી. કર્ણાટક સરકાર એક પણ મોટુ કામ પુરુ કરી શકી નથી.
79 વર્ષના યેદિયુરપ્પા બનશે કેમ્પેઇન કમિટીના હેડ
પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને જલ્દી ઇલેક્શન કેમ્પેઇન કમિટીના હેડ બનાવવામાં આવી શકે છે. જોકે, આ પહેલા તે સ્પષ્ટ કરી ચુક્યા છે કે તે હવે ચૂંટણી નહી લડે. સુત્રો અનુસાર, 79 વર્ષના યેદિયુરપ્પા પોતાના પુત્ર માટે રસ્તો બનાવવા માંગે છે, તેમણે આ વખતે ભાજપને 130 બેઠક જીતાડવાનું ટાર્ગેટ રાખ્યુ છે.
Advertisement