નવી દિલ્હી: મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લામાં સ્થિત બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઇને વિવાદ ઉભો થયો છે. નાગપુરની અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતીએ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર અંધવિશ્વાસને ભાર આપવાનો આરોપ લગાવતા તેમણે પોતાના ચમત્કારોને સિદ્ધ કરવાનો પડકાર આપ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પડકારને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના કાર્યક્રમને જલ્દી સમાપ્ત કરી દીધો હતો. આવો જાણીયે શું છે આખી ઘટના અને તેનો વિવાદ.
Advertisement
Advertisement
કોણ છે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી?
છત્તરપુર જિલ્લાના ગડાગંજ ગામમાં જન્મેલા 26 વર્ષીય ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના વર્તમાન મહંત છે, તેમનું શરૂઆતનું જીવન કઠિનાઇમાં વીત્યુ હતુ જે બાદ તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. બાગેશ્વર ધામમાં ભગવાન હનુમાનની આરાધના કરવામાં આવે છે અને ધીરેન્દ્ર શાસ્ત્રીનું કથાવાચનના આયોજનોની લોકપ્રિયતાને કારણે તેમણે કેટલાક સમયમાં ધામ ઘણુ પ્રસિદ્ધ અને વિકસિત થઇ ગયુ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દાવો છે કે તેમણે હનુમાન બાબાની સિદ્ધિ પ્રાપ્ત છે.
મુશ્કેલીમાં વીત્યુ ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાળપણ
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહતી, જેને કારણે તેમનું બાળપણ મુશ્કેલીમાં વિત્યુ છે. કહેવામાં આવે છે કે તેમણે માત્ર એક સમયનું ભોજન મળી શકતુ હતુ, તેમનું શરૂઆતનું શિક્ષણ ગામમાં જ સરકારી સ્કૂલમાં થયુ છે.
લોકોની સમસ્યાઓના સમાધાનનો દાવો કરે છે ધીરેન્દ્ર શાસ્ત્રી
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કથા દરમિયાન લોકોની સમસ્યા સાંભળે છે અને તેમનું સમાધાન કરવાનો દાવો કરે છે. દાવો કરવામાં આવે છે કે ભૂત-પ્રેતનો સાયો ઉતારવાથી લઇને બીમારી સુધીની સારવાર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં થાય છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થક અને ભક્ત દાવો કરે છે કે બાગેશ્વર ધામ બાબા કોઇ પણ માણસને જોતા જ તેમની દરેક મુશ્કેલી જાણી લે છે અને તેમનું સમાધાન કરે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના નાગપુર પ્રવાસ પર શું વિવાદ થયો?
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુરમાં કથાવાચન કરવા માટે ગયા હતા. ત્યા અંધવિશ્વાસ ઉન્મૂલન સમિતિએ દાવો કર્યો કે ધીરેન્દ્ર શાસ્ત્રી જાદૂ-ટોણા સહિત અંધવિશ્વાસની અન્ય વસ્તુ પર ભાર આપી રહ્યા છે. કમિટીએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પડકાર આપ્યો કે જો તે તેમના સ્ટેજ પર પોતાની શક્તિઓને સિદ્ધ કરતા ચમત્કાર બતાવી દેશે તો તેમણે 30 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
પોતાની ઉપર લાગેલા આરોપો પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું?
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણા શાસ્ત્રીએ કહ્યુ કે તેમની ઉપર આરોપ લગાવીને સનાતન ધર્મને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે, તેમણે કહ્યુ કે ભારતનો કોઇ પણ પાદરી કે મૌલવી સનાતન ધર્મના મંત્રો આગળ ટકી શકતો નથી અને તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ પલટવાર કરતા નાગપુરની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક શ્યામ માનવને તેમના દરબારમાં આવવાનો પડકાર પણ આપ્યો છે.
શું કહે છે અંધવિશ્વાસ વિરૂદ્ધ કાયદો?
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ મહારાષ્ટ્ર સરકારના માનવ બલિદાન અને અન્ય અમાનવીય કૃત્યો અધિનિયમ, 2016 અંતર્ગત ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ અંતર્ગત જો દોષી સાબિત થાય તો છ મહિનાથી લઇને સાત વર્ષની સજા થઈ શકે છે. આ સિવાય દોષિતો પર નાણાકીય દંડ પણ થઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે એક્ટ હેઠળના તમામ ગુનાઓ બિનજામીનપાત્ર છે.
Advertisement