શ્રીનગર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વરસાદ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં કઠુઆના લખનપુરથી પોતાની ભારત જોડો યાત્રા શરૂ કરી છે. આ દરમિયાન તે જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા. કન્યાકુમારીથી યાત્રા શરૂ કરવાથી લઇને પંજાબ-હિમાચલ સુધી રાહુલ ગાંધી માત્ર ટી શર્ટમાં જ જોવા મળ્યા હતા જેને લઇને ચર્ચામાં પણ રહ્યા હતા.
Advertisement
Advertisement
મીડિયાએ જ્યારે રાહુલ ગાંધીને પૂછ્યુ હતુ તો તેમનું કહેવુ હતુ કે તેમણે આ કારણે ઠંડી નથી લાગતી કારણ કે તે ઠંડથી ડરતા નથી. જે પણ લોકો સ્વેટર અથવા જેકેટ પહેરી રહ્યા છે તે ઠંડથી ડરે છે માટે તેમણે ઠંડી લાગે છે પરંતુ મારા કેસમાં એવુ નથી. મારી યાત્રા જ ડર વિરૂદ્ધ છે, મને ડર નથી લાગતો.
LIVE: #BharatJodoYatra | Hatli Morh Chowk to Channi | Kathua | Jammu and Kashmir https://t.co/QjKRTmBZr0
— Bharat Jodo (@bharatjodo) January 20, 2023
જમ્મુના લખનપુર થઇને કઠુઆ, હીરાનગર, બનિહાલ ટનલ થતા કાશ્મીર ઘાટી સુધી જશે. તે શ્રીનગરમાં 30 જાન્યુઆરીએ એક વિશાળ રેલી સાથે યાત્રાનું સમાપન કરશે. યાત્રામાં તેમની સાથે સંજય રાઉત પણ ચાલી રહ્યા છે. આ યાત્રામાં રાહુલ ગાંધી સાથે ફારૂક અબ્દુલ્લા, પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તી, સીપીએમ નેતા યૂસુફ તારિગામી પણ જોડાશે.
હું જમ્મુ કાશ્મીરના લોકોનું દુખ વહેચવા આવ્યો છું- રાહુલ ગાંધી
રાહુલ ગાંધી ગુરૂવાર સાંજે લખનપુર પહોચી ગયા હતા. અહી તેમણે મહારાજા ગુલાબ સિંહની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. નેશનલ કૉન્ફ્રેસના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ હાથમાં મશાલ લઇને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે જમ્મુ કાશ્મીરના લોકોએ ઘણા દુખ જોયા છે. હું અહીના લોકોનો દુખ દર્દ વહેચવા આવ્યો છું, તેમણે કહ્યુ કે કેટલાક વર્ષ પહેલા મારો પરિવાર જમ્મુ કાશ્મીરમાં રહેતો હતો. જે ધરતી પર મારો પરિવાર રહેતો હતો, ત્યા હું ચાલીને આવ્યો છું.
રાહુલ ગાંધીની યાત્રાને ચાલતા ના ફરવાની સલાહ
સુરક્ષા એજન્સીઓએ રાહુલ ગાંધીની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. યાત્રા ઘાટીના કેટલાક એવા રસ્તા પરથી પ્રસાર થશે જ્યા ફૂલ પ્રૂફ સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહી તેમની પુરતી સુરક્ષા કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ કરશે.
એજન્સીઓએ રાહુલ ગાંધીના ઇનર ઘેરામાં જાણીતા લોકોને જ સામેલ કરવાની સલાહ આપી છે. આ સાથે જ કાશ્મીરમાં કેટલીક જગ્યાએ ગાડીમાં યાત્રા કરવાની સલાહ આપવામાં આવી છે.
Advertisement