નવી દિલ્હી: દિલ્હી કંઝાવલા કેસમાં 11 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પોલીસ કર્મીઓ પર ડ્યૂટીમાં બેદરકારી દાખવવાનો આરોપ છે. જે રૂટ પર આ ઘટના બની હતી ત્યા તૈનાત પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ પોલીસ કર્મીઓમાં 2 સબ ઇંસ્પેક્ટર, 4 આસિસ્ટન્ટ સબ ઇંસ્પેક્ટર, 4 હેડ કૉન્સ્ટેબલ, 1 કૉન્સ્ટેબલ સામેલ છે. સસ્પેન્ડ પોલીસ કર્મીમાંથી 6 પીસીઆરની ડ્યૂટીમાં તૈનાત હતા અને 5 પોલીસ કર્મી પિકેટ પર તૈનાત હતા.
Advertisement
Advertisement
આ પહેલા ગૃહમંત્રાલયે કંઝાવલા કેસમાં દિલ્હી પોલીસની ત્રણ પીસીઆર વેન અને બે પિકેટમાં ડ્યૂટી પર હાજર તમામ કર્મીઓને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા.
તપાસ સમિતી તરફથી રિપોર્ટ સોપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી
સ્પેશ્યલ કમિશનર શાલિની સિંહની આગેવાની હેઠળની તપાસ સમિતી દ્વારા રિપોર્ટ સોપવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યુ કે તે રાત્રે ફરજ પરના પોલીસ કર્મીઓ સામે પણ શિસ્તભંગના પગલા લેવામાં આવશે.
સ્પેશિયલ કમિશનર શાલિની સિંહની આગેવાની હેઠળની તપાસ સમિતિ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે રાત્રે ફરજ પરના પોલીસકર્મીઓ સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આ કેસમાં વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી કરીને ગુનેગારોને સજા મળી શકે. દિલ્હી પોલીસને પણ આદેશ આપવામાં આવ્યો છે કે તે સુનિશ્ચિત કરે કે તપાસમાં કોઈ શિથિલતા ન રહે અને તપાસની પ્રગતિ અંગેના પખવાડિયાના અહેવાલો ગૃહ મંત્રાલયને સુપરત કરે.
Advertisement