નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને કહ્યુ કે રજા સાથે 66 દિવસમાં કુલ 27 બેઠકનું આયોજન કરવામાં આવશે. પ્રહલાદ જોશીએ કહ્યુ કે સંસદમાં 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રજા રહેશે.
Advertisement
Advertisement
કેન્દ્રીય મંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યુ, “સંસદનું બજેટ સત્ર 2023,31 જાન્યુઆરીથી શરૂ થઇને 6 એપ્રિલ સુધી ચાલશે, જેમાં 27 બેઠક 66 દિવસમાં સામાન્ય રજા સાથે હશે. અમૃત કાળ વચ્ચે રાષ્ટ્રપતિનું ભાષણ, કેન્દ્રીય બજેટ અને અન્ય મુદ્દા પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે.”
પ્રહલાદ જોશીએ કહ્યુ કે, 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રજા રહેશે, તેમણે કહ્યુ, બજેટ સત્ર દરમિયાન 14 ફેબ્રુઆરીતી 12 માર્ચ સુધી રજા રહેશે, જેથી વિભાગ સબંધિત સંસદીય સ્થાયી સમિતીઓ અનુદાન માટેની માંગણીઓની તપાસ કરી શકે અને તેમના મંત્રાલયો/વિભાગો સબંધિત અહેવાલ તૈયાર કરી શકે.
Advertisement