નવી દિલ્હી: કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ને પત્ર લખીને ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra)માં સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસે પાર્ટી નેતા રાહુલ ગાંધી માટે યોગ્ય સુરક્ષાની માંગ કરી છે. ગૃહમંત્રીને લખવામાં આવેલા પત્રમાં કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ કે શનિવારે દિલ્હીમાં યાત્રાના પ્રવેશ બાદ કેટલીક વખત યાત્રાની સુરક્ષા સાથે સમજૂતિ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
પત્રમાં કહેવામાં આવ્યુ કે દિલ્હી પોલીસ, જે કેન્દ્રીય ગૃહમંત્રાલય અંતર્ગત આવે છે, વધતી ભીડને નિયંત્રિત કરવા અને રાહુલ ગાંધીના ચારે તરફ એક ઘેરો બનાવી રાખવામાં નિષ્ફળ રહી છે, જેમણે Z+ સિક્યુરિટી આપવામાં આવી છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યુ કે સ્થિતિ એટલી ગંભીર હતી કે રાહુલ ગાંધીની સાથે ચાલતા કોંગ્રેસ કાર્યકર્તા અને ભારતના યાત્રીઓની એક સુરક્ષાનો ઘેરો બનાવવો પડ્યો હતો. દિલ્હી પોલીસ મૂક દર્શક બની રહી હતી.
વિપક્ષી દળે એવો પણ આરોપ લગાવ્યો કે જાસુસી બ્યૂરો યાત્રામાં ભાગ લેનારા લોકોની પૂછપરછ કરી રહ્યો છે. કોંગ્રેસ નેતા વેણુગોપાલે હરિયાણાના ગુરૂગ્રામમાં પાર્ટીની એક પોલીસ ફરિયાદનો પણ હવાલો આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે હરિયાણામાં ભાજપ ગઠબંધનની સરકાર છે.
આ પણ વાંચો: સલમાન ખુર્શીદે ભગવાન રામ સાથે કરી રાહુલ ગાંધીની સરખામણી
કોંગ્રેસ નેતાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ
પત્રમાં કહેવામાં આવ્યુ કે દરેક નાગરિકને પુરા ભારત વિસ્તારમાં ફરવાનો બંધારણીય અધિકાર છે. પત્રમાં કહેવામા આવ્યુ, ભારત જોડો યાત્રા દેશમાં શાંતિ અને સદભાવ લાવવા માટે એક પદયાત્રા છે. સરકારે બદલાની રાજનીતિમાં સામેલ ના થવુ જોઇએ અને કોંગ્રેસ નેતાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ.
સારી સુરક્ષાની માંગ
દેશની એકતા માટે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓના બલિદાનનો હવાલો આપતા કોંગ્રેસ પાર્ટીએ યાત્રા અને રાહુલ ગાંધી માટે સારી સુરક્ષાની માંગ કરી છે. હવે આ યાત્રા પંજાબ અને જમ્મૂ કાશ્મીરમાં પ્રવેશ કરશે.
પત્રમાં કહેવામાં આવ્યુ, ભારત જોડો યાત્રા 3 જાન્યુઆરી 2022થી શરૂ થનારા આગામી તબક્કામાં સંવેદનશીલ રાજ્ય પંજાબ અને જમ્મૂ કાશ્મીરમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. હું તમને રાહુલ ગાંધીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તુરંત પગલા ભરવાનો અનુરોધ કરૂ છુ.
યાત્રાને બદનામ કરવાનું ષડયંત્ર રચાઇ રહ્યુ છે
મીડિયાને સંબોધિત કરતા કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ યાત્રાને રોકવા માટે એક ષડયંત્રનો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યુ, યાત્રાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે લોકો તેને રોકવા માંગે છે તે પોતાની પોલીસ, મીડિયાના માધ્યમથી પ્રયાસ કરી રહ્યા છે તે સફળ નહી થાય.
3 જાન્યુઆરીથી યુપીથી શરૂ થશે ભારત જોડો યાત્રા
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કેટલાક દિવસના આરામ પછી હવે 3 જાન્યુઆરીથી શરૂ થશે. ભારત જોડો યાત્રાની શરૂઆત 3 જાન્યુઆરી 2023માં ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. યૂપીના કેટલાક વિપક્ષી દળના નેતાઓને યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે જેમાં બસપા પ્રમુખ માયાવતી પણ સામેલ છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 108 દિવસમાં 3 હજાર કિલોમીટરનું અંતર કાપીને શનિવારે દિલ્હી પહોચી હતી. અહી આ યાત્રાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો હતો. બીજો તબક્કો 3 જાન્યુઆરીથી શરૂ થવાનો છે.
Advertisement