નવી દિલ્હી: ચીનમાં ફરી એક વખત કોરોનાનો વિનાશ જોવા મળી રહ્યો છે જેને કારણે ભારત સહિત વિશ્વના કેટલાક દેશમાં ટેન્શન વધી ગયુ છે. ચીનના કોરોનાને લઇને ભારત સરકાર પણ એલર્ટ થઇ ગઇ છે. ઓમીક્રોનના વેરિએન્ટ BF.7ને લઇને એક તરફ ચીન સહિત વિશ્વના કેટલાક દેશ ટેન્શનમાં છે તો ભારતને લઇને હેલ્થ એક્સપર્ટ દાવો કરી રહ્યા છે કે ચિંતાનું કોઇ કારણ નથી.
Advertisement
Advertisement
આટલુ જ નહી એમ પણ કહેવામાં આવે છે કે તેને કારણે ભારતમાં કોરોનાની કોઇ નવી લહેર આવવાની નથી. ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ, બેંગલુરૂમાં વાયરોલૉજિસ્ટ અને અનુસંધાન અને વિકાસ પ્રમુખ ડૉ. વી રવિએ સ્પષ્ટ રીતે કહ્યુ કે કોરોનાના નવા વેરિએન્ટ ભારતમાં વધુ એક લહેર નહી લાવે, તેમનું કહેવુ છે કે નવુ વેરિએન્ટ ભારતીય વસ્તી માટે કોઇ ગંભીર જોખમ પેદા કરશે તેવી સંભાવના દેખાતી નથી. સૌથી ખરાબ સ્થિતિમાં પણ આ વેરિએન્ટના માત્ર એક કે બે દિવસ શ્વાસની તકલીફ થઇ શકે છે. ભારતમાં BF.7 વેરિએન્ટની સૌથી પહેલા ગુજરાતમાં ખબર પડી હતી.
કોરોનાની વેક્સિન નથી લાગી તેમને ખતરો
BF.7 ઓમીક્રોનનો એક વેરિએન્ટ છે જે લોકોને કોરોનાની રસી નથી લાગી, તેમાં આ નિયમિત SARS-CoV-2ની જેમ અસર કરશે. ડૉ રવિએ કહ્યુ કે ચીનમાં આ થઇ રહ્યુ છે. ચીનના લોકોને ના તો આ વેરિએન્ટ વિશે કહેવામાં આવ્યુ કે ના તો તેમણે વેક્સીન લગાવવામાં આવી છે. ડૉ. રવિએ કહ્યુ કે જેમને વેક્સીન નથી લાગી તેમાં આ વેરિએન્ટ SARS CoV2 વાયરસની જેમ વ્યવહાર કરશે. આપણે તૈયારી કરવી જોઇએ પરંતુ ગભરાવવુ ના જોઇએ. ભારતે બે ડોઝના 100 % કવરેજ સાથે રસીના 220 કરોડથી વધુ ડોઝ આપ્યા છે અને બૂસ્ટર ડોઝ પણ લગાવવામાં આવી રહ્યા છે. ભારતના કોરોના વેક્સીનને વધુ પ્રભાવી ગણવામાં આવી છે. ભારતના મોટાભાગના લોકો કોરોનાથી પહેલા જ સંક્રમિત થઇ ચુક્યા છે. પહેલા કોરોના પછી વેક્સીન આ રીતે ભારતીયોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસીત થઇ ગઇ છે. ગુજરાતમાં જ્યારે પ્રથમ કેસ સામે આવ્યો તેના ત્રણ મહિના પછી હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સંખ્યામાં કોઇ વધારો થયો નથી.
આ લોકોએ સાવચેત રહેવાની જરૂર
કોરોનાને લઇને હેલ્થ એક્સપર્ટ કોવિડ નિયમોનું પાલન કરવાની વાત કરી રહ્યા છે. સ્વાતિ રાજગોપાલ, કંસલ્ટન્ટ (સંક્રામક રોગ એસ્ટર, સીએમઆઇ, હૉસ્પિટલ, બેંગલુરૂ)એ કહ્યુ કે ઓમીક્રોનના સબ વેરિએન્ટ બીએફ.7ના લક્ષણ અન્ય સબ વેરિએન્ટને મળતા આવે છે, તેના લક્ષણમાં ભરેલુ નાક, ગળામાં ખરાશ સામેલ છે. આ સાથે જ તાવ, થાક, ઝાડા પણ તેના લક્ષણમાં સામેલ છે. આ વાયરસને લઇને ખતરો તે લોકોમાં વધારે હોય છે જેમની ઇમ્યુનિટી નબળી છે, જેમાં વૃદ્ધ, ગર્ભવતી મહિલા, સાથે જ જેમણે કેન્સર, ડાયાબિટીશ, હાર્ટ અને કિડનીના દર્દી છે.
ચીનમાં જે થઇ રહ્યુ છે તે ભારતમાં નહી થાય
સેલ્યુલર એન્ડ મૉલિક્યૂલર બાયોલોજી (CCMB)ના હેડે કહ્યુ કે ભારતમાં કોરોના વાયરસના BF.7 વેરિએન્ટનું ચીન જેટલુ ગંભીર પ્રભાવ થવાની આશંકા ઓછી છે, કારણ કે ભારતીયોએ પહેલા જ હર્ડ ઇમ્યુનિટી મેળવી લીધી છે. CCMBના ડિરેક્ટર વિનય કે નંદીકૂરીએ કહ્યુ કે વર્તમાન વેરિએન્ટનું સંક્રમણ એટલુ ગંભીર નથી, જેટલુ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનું સંક્રમણ હતુ. આવુ એટલા માટે છે, કારણ અમારી પાસે એક હદ સુધી હર્ડ ઇમ્યુનિટી છે. વાસ્તવમાં અમારી પાસે હર્ડ ઇમ્યુનિટી છે કારણ કે અમે અન્ય વાયરસના સંપર્કમાં છીએ.
નંદીકૂરીએ કહ્યુ કે ભારતમાં રસીકરણનો દર વધારે છે, મોટા પાયે વૃદ્ધ અને અતિસંવેદનશીલ વસ્તીને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો છે. જોકે, આ દાવો નથી કરી શકાતો કે ભારતમાં કોરોનાની કોઇ લહેર નથી આવી શકતી પરંતુ અત્યારે એવુ નથી લાગતુ કે સંક્રમણની કોઇ લહેર તુરંત આવી રહી છે.
Advertisement