ચંદીગઢ: પંજાબના તરનતારન જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર રૉકેટ લોંચર જેવા હથિયારથી નિશાન સાધવામાં આવ્યુ હતુ. પોલીસ સુત્રોએ આ જાણકારી આપી હતી.
Advertisement
Advertisement
જાણકારી અનુસાર, કેટલાક અજાણ્યા લોકોએ સરહદી જિલ્લામાં અમૃતસર-ભઠિંડા રોડ પર આવેલા સરહાલી પોલીસ સ્ટેશનમાં રોકેટ લોંચર એટેક કર્યો હતો, તેને કારણે પોલીસ સ્ટેશનના દરવાજાનો કાંચ તૂટી ગયો હતો. પોલીસના સીનિયર અધિકારી ઘટનાસ્થળે પહોચીને સમીક્ષા કરી હતી. હુમલામાં કોઇ રીતનું નુકસાન થયુ નથી. પોલીસ સ્ટેશનની બિલ્ડિંગને થોડુ નુકસાન થયુ છે. રોકેટ લોંચર એટેક રાત્ર એક વાગ્યાની આસપાસ થયો હતો, બહારથી પોલીસ સ્ટેશનની બિલ્ડિંગ પર રોકેટ લોંચર ફાયર કરવામાં આવ્યુ હતુ. સુત્રોનું કહેવુ છે કે RPG શક્તિશાળી હતુ પરંતુ તેનાથી નુકસાન ઘણુ ઓછુ થયુ કારણ કે આ પહેલા આઉટ પિલર અથવા ગેટ સાથે ટકરાયુ અને પછી પોલીસ સ્ટેશનમાં જઇને પડ્યુ હતુ.
મહત્વપૂર્ણ છે કે સરહાલી ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંદાનું પૈતૃક ઘર છે. માનવામાં આવે ચે કે તે પાકિસ્તાનમાં માર્યો ગયો હતો. પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલનો સભ્ય રિંડા આ વર્ષે મેમાં પંજાબ પોલીસના જાસુસી કાર્યાલય પર આરપીજી હુમલા સહિત વિવિધ આતંકી કેસમાં સામેલ હતો.
મે મહિનામાં મોહાલીમાં પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટથી ચાલનારૂ ગ્રેનેડ ફેકવામાં આવ્યુ હતુ. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે આ કેસમાં એક માસ્ટરમાઇન્ડની ઓક્ટોબરમાં ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી. આરોપી યૂપીનો હતો અને આતંકીઓની મદદ કરતો હતો.
Advertisement