વેલિંગ્ટન: સોલોમન ટાપુ પાસે સવારે 7.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપને કારણે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે, અત્યારે ત્યા નુકસાનના કોઇ સમાચાર નથી.
Advertisement
Advertisement
અમેરિકન ભૂગર્ભીય સર્વેક્ષણ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પાટનગર હોનિયારાથી 56 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં દરિયામાં 13 કિલોમીટર ઉંડાઇમાં હતું.
પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્ર અનુસાર, ભૂકંપથી સોલોમન ટાપુ પર દરિયામાં ખતરનાક લહેરો ઉઠી શકે છે પરંતુ તેનાથી વ્યાપક સ્તર પર સુનામીના ખતરાનો અંદેશો વ્યક્ત નથી કર્યો. સોલોમન ટાપુ ભૂકંપના હિસાબથી સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે.
ભૂકંપ બાદ સોલોમન ટાપુ પર સુનામીની ચેતવણી
ભૂકંપ સવારે 7 વાગીને 33 મિનિટ પર આવ્યો હતો. ભૂકંપના ઝટકા બાદ સોલોમન ટાપુ પર સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી કહેવામાં આવ્યુ કે લોકોને ઉંચી જગ્યા પર જવાની સલાહ પણ આપવામાં આવી છે.
ઇન્ડોનેશિયામાં ભૂકંપથી 162 લોકોના મોત
આ પહેલા ઇન્ડોનેશિયામાં સોમવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. 5.6ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધી 162 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય 700 લોકો ઘાયલ પણ થયા હતા. ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સિયાનજુર વિસ્તારમાં 10 કિલોમીટરની ઉંડાઇ પર કેન્દ્રીત હતુ. ભૂકંપના જોરદાર ઝટકાથી કેટલીક બિલ્ડિંગોને નુકસાન થયુ છે.
Advertisement