જયપુર: શૈક્ષણિક નગરીના નામથી જાણીતા રાજસ્થાનના કોટામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓમાં આત્મહત્યાથી મોતની ઘટના સતત વધી રહી છે. રાજ્ય સરકારે આત્મહત્યાથી વિદ્યાર્થીના મોતના આંકડા જાહેર કર્યા છે. રાજ્ય સરકાર તરફથી જાહેર આંકડામાં કહેવામાં આવ્યુ કે ચાર વર્ષમાં એકલા કોટામાં 52 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.
Advertisement
Advertisement
કોટામાં 53 કેસ દાખલ કરવામાં આવ્યા છે જેમાં 52 એકલા કોટાના છે. સરકાર તરફથી જાહેર આંકડામાં એમ પણ કહેવામાં આવ્યુ કે આત્મહત્યા કરનારાઓમાં 21 વિદ્યાર્થિની છે.
સરકારે કોટામાં કોચિંગ વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેટલાક મુખ્ય કારણ પણ જણાવ્યા છે. અભ્યાસમાં પાછળ રહેવાને કારણે તેમનામાં આત્મવિશ્વાસની કમી, માતા-પિતાની વિદ્યાર્થીઓ પાસે ઉચ્ચ મહત્વકાંક્ષા, વિદ્યાર્થીઓમાં શારીરિક અને માનસિક અને અભ્યાસ સબંધી તણાવ, આર્થિક તંગી, બ્લેકમેલિંગ અને પ્રેમ પ્રસંગ મહત્વના કારણ માનવામાં આવ્યા છે.
વિધાનસભામાં કોટા આત્મહત્યા પર ચર્ચા
બારાં-અટરૂના કોંગ્રેસના ધારાસભ્ય પાનાચંદ મેઘવાલના વિધાનસભામાં પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યુ કે કોચિંગ સંસ્થાઓ પર નિયંત્રણ માટે કાયદો બનાવવા માટે રાજસ્થાન કોચિંગ ઇંસ્ટીટ્યૂટ બિલ 2023 લાવવામાં આવી રહ્યુ છે. સરકારે જવાબમાં કહ્યુ કે કોટા વિભાગમાં છેલ્લા 4 વર્ષણાં 2019થી 2022 સુધી સ્કૂલ, કોલેજ અને કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓની આત્મહત્યાના 53 કેસ દાખલ થયા છે જેમાંથી 52 કોટા શહેરની કોચિંગના છે.
ધારાસભ્ય પાનાચંદ મેઘવાલે કહ્યુ કે દેશના ખુણે ખુણાથી વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે કોટા આવે છે પરંતુ જ્યારે આ વિદ્યાર્થી આત્મહત્યા જેવુ પગલુ ભરે છે તો આ સમાજ અને સરકાર માટે ચિંતાની વાત છે, તેમણે કહ્યુ કે કોચિંગ કરનારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને કાઉન્સેલિંગની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.
Advertisement