દહેરાદૂન: ઉત્તરાખંડમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે બીજી તરફ ઉત્તરકાશીમાં 29 પર્વતારોહક હિમસ્ખલનમાં ફસાઇ ગયા હતા જેમાંથી 10 લોકોના શબ મળ્યા છે જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. રેસક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ભારતીય સેનાની મદદ માંગી છે, તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને પણ આ મામલે વાત કરી છે,
Advertisement
Advertisement
ઉત્તરકાશીના ભટવાડીમાં દ્રૌપદીના ડાંડા-2માં એવલાંચથી 29 પર્વતારોહક ફસાઇ ગયા છે. નેહરૂ પર્વતારોહણ સંસ્થાના 122 સભ્યોની ટીમ બેસિક અને એડવાન્સ ફોર્સ પર નીકળી હતી.
સીએમ ધામીએ જાણકારી આપતા જણાવ્યુ, દ્રૌપદીના ડાંડા-2 પર્વત શિખરમાં હિમસ્ખલનમાં ફસાયેલા લોકોને જલ્દી બહાર કાઢવા માટે NIMની ટીમ સાથે જિલ્લા તંત્ર, NDRF, SDRF, સેના અને ITBPના જવાન દ્વારા ઝડપથી રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યુ છે. હિમસ્ખલન થવાને કારણે નેહરૂ પર્વતારોહણ સંસ્થા, ઉત્તરકાશીના ફસાયા હોવાની સૂચના છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કહ્યુ કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે ચર્ચા કરીને રેસક્યૂ અભિયાન ઝડપી બનાવવા માટે સેનાની મદદનો અનુરોધ કર્યો છે, જેને લઇને તેમણે અમને કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ મદદ આપવાનું આશ્વાસન આપ્યુ છે. તમામને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસક્યૂ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.
આ વચ્ચે 6થી લઇને 8 ઓક્ટોબર સુધી ભારે વરસાદનું એલર્ટ છે. કુમાઉં વિસ્તારમાં વધારે વરસાદ પડશે જ્યારે ગઢવાલ એરિયામાં પણ અસર રહેશે. દારમા ઘાટીમાં ચીન સરહદ નજીક અંતિમ ચોકી પાસે આ સીઝનની ત્રીજી બરફ વર્ષા થઇ હતી. અહી 1 ફૂટ હિમપાત થયો છે, જે બાદ ઉચ્ચ હિમાલયી વિસ્તાર દારમા ઘાટીના 14 ગામ અને વ્યાસ ઘાટીના સાત ગામમાં ઠંડી વધી ગઇ છે.
Advertisement