ચંદીગઢ: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. પંજાબ વિજિલન્સ બ્યૂરોએ 30 ડિસેમ્બરે તેમના વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ શરૂ કરી છે. આ કથિત ભ્રષ્ટાચાર તેમના મુખ્યમંત્રી રહેવા દરમિયાન થયુ હતુ. 19 નવેમ્બર 2021માં ચન્નીએ ચમકૌર સાહિબમાં દાસ્તાન-એ-શહાદત પાર્કનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં 1 કરોડ 47 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે.
Advertisement
Advertisement
ભઠિંડાના ભાગુ ગામના રહેનારા રાજવિંદર સિંહે વિજિલન્સ ડિપાર્ટમેન્ટને ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે ઉદ્દઘાટન સમારંભમાં જે 1 કરોડ 47 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો તે બજાર રેટથી ઘણુ વધારે હતુ. આરોપ લગાવવામાં આવ્યો કે આ ભ્રષ્ટાચાર ચન્નીના પુત્રના લગ્નમાં ખર્ચને મેનેજ કરવા માટે કરવામાં આવ્યો છે. ચરણજીત સિંહ ચન્નીના પુત્રના લગ્ન ઓક્ટોબર, 2021માં થયા હતા.
ચાની કિંમત 2000 રૂપિયા
ફરિયાદ કરનારાએ કહ્યુ કે પ્રવાસન વિભાગે દાસ્તાન-એ-શહાદત પાર્કના ઉદ્દઘાટનામં ખર્ચને વધારીને બતાવવામાં આવ્યું છે, તે દરમિયાન પ્રવાસન વિભાગની જવાબદારી પણ ચરણજીત સિંહ ચન્ની પાસે જ હતી. ફરિયાદ અનુસાર ચા, ભોજનથી લઇને ટેન્ટ, તમામ ખર્ચ બજાર રેટથી ઘણી વધારે બતાવવામાં આવી હતી. આરોપ છે કે કાર્યક્રમ માટે જે ઠેકો આપવામાં આવ્યો હતો તેના ટેન્ડરમાં પણ સરકારી નિયમોને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા.
રાજવિંદર સિંહે આરોપ લગાવ્યો કે કાર્યક્રમના હિસાબથી એક કપ ચાની કિંમત 2 હજાર રૂપિયા બતાવવામાં આવી છે. જ્યારે ચૂંટણી પંચે એક કપની ચારની કિંમત 12 રૂપિયા નક્કી કરી હતી. આ રીતે પ્રતિ વ્યક્તિ ભોજન પર 2 હજાર રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. આ રીતે બીજા ખર્ચ પણ કેટલાક ગણા વધારી ચઢાવીને બતાવવામાં આવ્યા છે.
ફરિયાદ કરનારાએ દાવો કર્યો કે આ કાર્યક્રમમાં સરકારી પૈસાની લૂંટ થઇ છે, તેમણે આરોપ લગાવ્યો કે સરકારે ટેન્ડર જાહેર કરવાના એક દિવસમાં તેની ફાળવણી પણ કરી દીધી હતી. ફરિયાદ બાદ એક AIG લેવલના અધિકારી તથ્યોની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યુ- ભાજપ-RSSના લોકો મારા ગુરૂ, તે મને રસ્તો બતાવે છે
ચન્નીએ શું જવાબ આપ્યો?
પોતાના વિરૂદ્ધ આરોપો પર ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ કે આમ આદમી પાર્ટી સરકાર તેમણે જેલમાં મોકલવા માંગે છે. ચન્નીએ કહ્યુ કે તે પોતાના વિરૂદ્ધ આરોપોનો સામનો કરશે. ચન્નીએ 31 ડિસેમ્બરે એક પત્રકાર પરિષદ બોલાવીને સ્પષ્ટતા કરી હતી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ,
“મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારી દરેક વસ્તુ પર નજર રાખવામાં આવી રહી છે. મારા બેન્ક ખાતા ચેક કરવામાં આવી રહ્યા છે. ભગવંત માનની સરકાર બદલાની રાજનીતિ હેઠળ કામ કરી રહી છે.”
દાસ્તાન-એ-શહાદત થીમ પાર્ક 17 એકરમાં ફેલાયેલુ છે. આ પાર્ક 10 વર્ષમાં બનીને તૈયાર થયુ છે, જેની પર 55 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. પાર્કને હેરિટેજ સાઇટના રૂપમાં વિકસિત કરવામાં આવ્યો છે. જેમાં શિખ ઇતિહાસ અને ગુરૂ ગોબિંદ સિંહ અને પરિવારની કુરબાનીને અલગ અલગ થીમ દ્વારા બતાવવામાં આવી છે.
Advertisement