જયપુર: રાજસ્થાનના પાલી પાસે સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દૂર્ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ટ્રેન બાંદ્રાથી જોધપુર જતી હતી.જોકે, ઉત્તર પશ્ચિમ રેલ્વે અનુસાર કોઇ નુકસાન થવાના સમાચાર નથી.
Advertisement
Advertisement
બાંદ્રાથી જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા સવારે 3.30 વાગ્યે રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે પાટા પરથી ઉતરી ગઇ હતી. રેલ્વે તરફથી જોધપુરથી દૂર્ઘટના ટ્રેન રવાના કરવામાં આવી છે.
ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO)ના કેપ્ટન શશિ કિરણે કહ્યુ કે બાંદ્રા ટર્મિનસ- જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના પાટા પરથી ઉતરી જતા 11 ડબ્બા પ્રભાવિત થયા છે. આ દૂર્ઘટનામાં હજુ સુધી કોઇના નુકસાનના સમાચાર નથી. ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે પહોચી ગયા હતા.
એક મુસાફરે જણાવ્યુ કે મારવાડ જંક્શનથી નીકળ્યાની 5 મિનિટની અંદર જ ટ્રેનની અંદર કંપનનો અવાજ સંભળાયો હતો અને 2-3 મિનિટ પછી ટ્રેન રોકાઇ ગઇ હતી. અમે નીચે ઉતરીને જોયુ તો સ્લીપર ક્લાસના 11 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. 15-20 મિનિટની અંદર એમ્બ્યુલન્સ આવી હતી.
આ દૂર્ઘટનાને કારણે 14 ટ્રેન પ્રભાવિત થઇ હતી. પાલી જિલ્લામાં દૂર્ઘટના બાદ જોધપુર, જયપુર સહિત અન્ય રેલ્વે સ્ટેશન પર હેલ્પલાઇન કાઉન્ટર બનાવ્યુ છે. અહીથી મુસાફર અને તેમના સબંધીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.
Advertisement