નવી દિલ્હી: કોંગ્રેસે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી છે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા યાત્રા વિશે લોકોને જાણકારી આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યુ કે ન્યૂઝ ચેનલો પર આખો દિવસ વડાપ્રધાન મોદીને બતાવવામાં આવે છે. અમને કોઇ બતાવતુ નથી, માટે અમે યાત્રા કાઢી રહ્યા છીએ.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીએ કહ્યુ- એક વ્યક્તિના હાથમાં કરોડો લોકોનું ભવિષ્ય છે અને તે તેને સવારવાની જગ્યાએ વિપક્ષને ED અને CBIનો ડર બતાવે છે, તેમણે કહ્યુ- અમે ફરી ગુલામીના સમયમાં જઇ રહ્યા છીએ. પહેલા એક ઇસ્ટ ઇન્ડિયા કંપની દેશ પર રાજ કરતી હતી હવે 3-4 કંપનીઓ આ કામ કરી રહી છે.
રાહુલ ગાંધી સિવાય મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, દિગ્વિજય સિંહ, અશોક ગહેલોત, ભૂપેશ બઘેલ અને યોગેન્દ્ર યાદવે પણ સભાને સંબોધિત કરી હતી.
શ્રીપેરંબદુર જઇને પિતાને શ્રદ્ધાંજલિ આપી
રાહુલ ગાંધીએ બુધવાર સવારે શ્રીપેરંબદુરમાં પિતા રાજીવ ગાંધીના સ્મારક પર જઇને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. અહી રાહુલ ગાંધીએ કહ્યુ કે નફરતને કારણે મે પિતા ગુમાવ્યા પરંતુ હવે દેશ નથી ગુમાવી શકતો. રાહુલ ગાંધી દોઢ કલાક સુધી શ્રીપેરંબદુરમાં રહ્યા હતા. અહી 1991માં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
Advertisement